પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૭૮૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૬૯

આપણો ધર્મ છે. આપણે સામાન્ય મનુષ્યો પેઠે આવી વાતો ન્યાયાસનથી ગુપ્ત રાખવાનું કામ નહી કરીયે.

સર૦– એ પોટકું રજુ કરીયે ને પત્રિકા આપણી પાસે રાખીયે તો કાંઈ બાધ છે ? પરરાજ્યને આવા વિષયમાં આવી રીતે સાહાય્ય આપવાને આપણે કયા ધર્મથી બંધાઈએ છીયે ?

વિદ્યા૦- ચક્રવર્ત્તીભવનના ધર્મથી સરદારસિંહ, એ પત્રિકામાં શું લખેલું છે ?

સર૦– કવિતા કઠણ છે ને જેવો અર્થ લેઈએ તેવો લેવાય એમ છે. આપને જોવી હોય તો આ રહી.

પત્રિકા લેતો લેતો વિદ્યાચતુર બોલ્યો: “જે હો તે હો – જે થાવ તે થાવ પ્રતિષ્ઠા જાવ તો જાવ. સરદાર, આ પત્રિકા રજુ તો કરવી જ. કાંઈ ગુપ્ત ન રાખવું. વિદ્યાચતુર ન્યાયને પ્રિયતમ ગણે છે ને તેને માટે સર્વ વસ્તુનો ભોગ આપવા તત્પર છે.”

સર૦– આપ વાંચો તો ખરા.

વિદ્યાચતુર વાંચવા લાગ્યો.

“અવનિ પરથી નભ ચ્હડ્યું વારિ પડે જ પાછું ત્યાં ને ત્યાં !” [૧] વગેરે પંક્તિઓ આ પત્રિકામાં કુમુદના સુન્દર હસ્તાક્ષરથી સ્પષ્ટ લખેલી હતી. તે વાંચી રહી એ પત્રિકા હૃદય સાથે ચાંપી વિદ્યાચતુર આનંદગર્વથી બોલ્યો.

“સરદાર ! આપણી પવિત્ર કુમુદની આ પવિત્ર કવિતા અવશ્ય ઈંગ્રેજી ન્યાયાસન પાસે આપણે મુકીશું અને અગત્ય પડશે તો હું તેનો અર્થ સમજાવવાને જાતે ન્યાયાસન પાસે સાક્ષી થઈશ ! સરસ્વતીચંદ્ર બુદ્ધિધનભાઈનું ગૃહ કેવી પવિત્ર કુમુદની કેવી પવિત્ર - વાસનાની સૂચનાને બળે છોડ્યું તે આથી સ્પષ્ટ સમજાશે !”

સર૦-સત્ય છે. પણ એક વાર ખોટા આરોપ મુકનારને મુખેથી સર્વ દુષ્ટ આરોપ સાંભળવા પડે અને તે પછી તેના ઉત્તરમાં આ કામ લાગે. મ્હેં ધાર્યું છે કે સરસ્વતીચંદ્ર આયુષ્યમાન છે એટલું આપણે સંપૂર્ણ રીતે પ્રથમ સિદ્ધ કરી આપવું, અને તે આપણા જ રાજયમાં કરી આપવું – એટલે પછી એમના ખુનનો કે આપણા કે ઈંગ્રેજી ન્યાયાસનનો પ્રશ્ન નહી ર્‌હે, અને કુમુદબ્હેનનું આમ કે તેમ નામ સરખું દેવાનો પ્રસંગ ઉભો નહીં


  1. ૧ પ્રથમ ભાગ પ્રકરણ ૧૯ પુષ્ઠ ૩૩૦ –૩૩૧.