પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૨૦૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭૯
મ્યુનિસિપાલિટી મારફત અસહકાર


“કમિટીનો એ અભિપ્રાય છે કે કલેક્ટર અથવા કમિશનરના હુકમને લીધે મ્યુનિસિપલ બોર્ડના સ્પષ્ટ ઠરાવનો જાણીજોઈ ને અનાદર કરવાનું કોઈ પણ મ્યુનિસિપલ નોકરને કારણ મળતું નથી. કલેક્ટર અને કમિશનરના હુકમો મ્યુનિસિપાલિટી પ્રત્યે હોય છે, મ્યુનિસિપાલિટીના અમલદારો પ્રત્યે હોતા નથી. વળી આ કમિટીનો અભિપ્રાય છે કે એ હુકમો તેમના અધિકાર બહારના અને ગેરકાયદે છે. આવા હુકમનું કાયદેસરપણું તથા લાગુ પડવાપણું, એનો વિચાર બોર્ડે કરવાનો છે. બોર્ડના નિર્ણયોના ખરાપણા વિષે પ્રશ્ન ઉઠાવવાનો મ્યુનિસિપલ અમલદારોને અધિકાર નથી. કલેક્ટર તથા કમિશનરના મ્યુનિસિપાલિટી ઉપરના હુકમોના વાજબીપણા કે ગેરવાજબીપણાનો વિચાર કરવાનો તથા તે માનવાલાયક છે કે કેમ તેનો છેવટનો નિર્ણય કરવાનો અધિકાર બોર્ડને છે. એટલે જ્યાં સુધી કલેક્ટર કે કમિશનરના હુકમને અનુસરીને બોર્ડે પોતાનો નિર્ણય ન ફેરવ્યો હોય ત્યાં સુધી પર્સનલ આસિસ્ટન્ટ તથા મ્યુનિસિપલ તિજોરી અમલદાર, જેઓ મ્યુનિસિપાલિટીના નોકરો છે, તેઓ બોર્ડના નિર્ણયને માનવાને બંધાયેલા છે. શિસ્ત જળવાય તે ખાતર જો જરૂર પડશે તે બોર્ડના નિર્ણયનો અમલ કરાવવા માટે કમિટીને બંદોબસ્ત સાચવવાની પોતાની સત્તાઓ વાપરવાની દુ:ખદાયક ફરજ બજાવવી પડશે. ગમે તેવા ઊંચા હોદ્દાના અમલદાર પણ જો આજ્ઞાભંગ કરશે તો આ કમિટી તે સાંખી લેશે નહીં. ચીફ ઑફિસરના પર્સનલ આસિસ્ટંટ આ ઠરાવની નોંધ લે અને ઑડિટર તથા બીજા તિજોરી અમલદારોને તેની જાણ કરે. મૅનેજિંગ કમિટી ફરમાવે છે કે સ્કૂલ્સ કમિટીએ રજૂ કરેલા ચેકોનાં નાણાં તત્કાળ ચૂકવાવાં જોઈએ.”

ચીફ ઑફિસર અને ઑડિટર જેઓ તા. ૭મીએ શિક્ષકોનો પગાર ચૂકવાયો તે સંબંધમાં ઊંચાનીચા થયા હતા અને મ્યુનિસિપલ નોકર હોવા છતાં જેમની વફાદારી સરકાર તરફ ઢળતી હતી તેઓ આ ઠરાવ વાંચીને ઠંડાગાર થઈ ગયા. એમણે જોયું કે અહીં રહેવામાં પોતાની ખેરિયત નથી એટલે તે ને તે દિવસે રજા ઉપર ઉતરી ગયા.

પછી તા. ૧૬–૧–’૨રના રોજ મ્યુનિસિપલ બોર્ડની ખાસ જનરલ મીટિંગ થઈ. એમાં તા. ૬ઠ્ઠીએ રાતે શા માટે મ્યુનિસિપલ બોર્ડનો ઠરાવ કલેક્ટરને પહોંચાડવામાં આવ્યો, કયા મ્યુનિસિપલ અમલદારો કે કાઉન્સિલરો કલેક્ટરને બંગલે ગયા હતા અને મ્યુનિસિપલ શિક્ષકોને પગાર આપતાં સ્કૂલ્સ કમિટીને અટકાવવા માટે ત્યાં કેવી મસલત થઈ હતી વગેરે સવાલો પ્રમુખને સરદારે પુછ્યા. પછી દી○ બ○ હરિલાલભાઈ ઠરાવ લાવ્યા કે :

“કલેક્ટરના હુકમથી તો બોર્ડના ઠરાવનો, સ્કૂલ્સ કમિટી શાળાઓને વહીવટ ચાલુ રાખશે વગેરે બાબતોની મ્યુનિસિપાલિટીએ કમિશનરને ખબર આપવા બાબતનો જ ભાગ સ્થગિત થાય છે. એટલે એ હુકમનો કશો અર્થ