આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
.
૧૭
મ્યુનિસિપાલિટીની બરતરફી પછી
મ્યુનિસિપાલિટીની બરતરફીનો હુકમ તા. ૯-૨-’રરના ગુરુવારના સરકારી ગૅઝેટમાં બહાર પડ્યો કે તરત અમદાવાદના શહેરીઓની એક ગંજાવર જાહેર સભા મળી અને તેમાં નીચે પ્રમાણે ઠરાવ પસાર કરવામાં આવ્યો :
- “અમદાવાદના શહેરીઓની આ જાહેર સભા ઠરાવ કરે છે કે અમદાવાદ મ્યુનિસિપાલિટીને બરતરફ કરી સરકારે પ્રજાની પ્રાથમિક કેળવણી પોતાને હાથ કરવા નિશ્ચય કરેલો હોવાથી, શહેરનાં બાળકોને સરકારના કાબુથી સ્વતંત્ર કેળવણી મળે તે માટે આ શહેરમાં એક પ્રજાકીય પ્રાથમિક કેળવણી મંડળ સ્થાપવું અને તેની યોજના તૈયાર કરી અમલમાં મુકાય ત્યાં સુધી વાલીઓએ પોતાનાં બાળકોને સરકારના કાબૂવાળી મ્યુનિસિપલ શાળાઓમાં મોકલવાં નહીંં. સરકારના આ કૃત્ય સામે કેળવણી સિવાય બીજી બાબતમાં શાં પગલાં લેવાં તે હવે પછી નક્કી કરવામાં આવશે.
- “પ્રજા તરફથી નિમાયેલા જે મ્યુનિસિપલ કાઉન્સિલરોએ નીડરપણે પોતાની ફરજ બજાવી છે તેનાથી રાષ્ટ્રીય કાર્યને પુષ્કળ મદદ મળી છે એવો આ સભાનો અભિપ્રાય છે. અમારી સેવા બજાવતાં જોકે મ્યુનિસિપાલિટીની સત્તા ઝૂંટવી લેવામાં આવી છે છતાં અમારો વિશ્વાસ અમારા પ્રતિનિધિઓ ઉપર સંપૃર્ણ છે અને આજ સુધી તેમણે બતાવેલી સ્વદેશભક્તિ માટે અમે એ સર્વે સભાસદોનો અંતઃકરણ પૂર્વક આભાર માનીએ છીએ.”
નવા સ્થપાયેલા પ્રજાકીય પ્રાથમિક કેળવણી મંડળે ચોથા ધોરણના વિદ્યાર્થીઓની વાર્ષિક પરીક્ષા તા. ૨૬–૨-’રરના રોજ લેવાની વ્યવસ્થા કરી અને તા. ૨૩મી સુધીમાં ૩૩ નિશાળો ખોલી; જેમાં ૧૮ છોકરાઓની અને ૧૦ છોકરીઓની, ૧ મિશ્ર અને ૪ ઉર્દૂ શાળાઓ હતી.
અમદાવાદની સાથે સુરતની મ્યુનિસિપાલિટી પણ એ જ કારણસર બરતરફ કરવામાં આવી હતી. એટલે અમદાવાદ અને સુરતના શહેરીઓને ઉદ્દેશીને ગાંધીજીએ તા. ૧૯-૨-’૨રના ‘નવજીવન’માં એક નોંધ લખી. તેમાં જણાવ્યું :
- "તમારી ઉપરવટ થઈને સરકારે પોતાની કમિટી નીમી છે. તેમાં તમારા જ શહેરવાસીઓ કામ કરવા તૈયાર થયા છે એ જોઈ મને તો ખૂબ દિલગીરી થઈ છે. પણ તેથી કાંઈ નિરાશ થવાનું નથી. શહેરીઓની સહાય
૧૯૦