પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૨૮૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૬૧
ગાંધીજીની ગિરફતારી પછી


ગયા કૉંગ્રેસ પછી નવ મહિના સુધી ફેરવાદ અને નાફેરવાદના ઝઘડા ચાલ્યા. તે દરમિયાન ગુજરાતમાં શું શું બન્યું તે નોંધીને આ પ્રકરણ પૂરું કરીશું. ગયા કૉંગ્રેસના ઠરાવ પ્રમાણે એપ્રિલની ૩૦મી પહેલાં જે સ્વરાજ ફાળો કરવાનો હતો અને સ્વયંસેવકોની ભરતી કરવાની હતી તેમાંથી ગુજરાતને ભાગે ત્રણ લાખ રૂપિયાનો ફાળો અને ત્રણ હજાર સ્વયંસેવકોની ભરતી કરવાનું આવ્યું હતું. ગુજરાતમાંથી ત્રણ લાખ રૂપિયા એકઠા કરવાનું સરદારને કઠણ લાગતું ન હતું. પણ ગુજરાતની ખરી પરીક્ષા તો તે વખતના ઠંડા વાતાવરણમાં જ્ઞાનપૂર્વક કષ્ટો સહન કરનારા સ્વયંસેવકો મેળવવામાં હતી. તે માટે ભાઈ ઇન્દુલાલે ઉત્સાહપૂર્વક ગામડે ગામડે ભટકવા માંડ્યું અને ભારે જહેમત ઉઠાવી. તેમને એમ હતું કે ક્યારે ૩૦મી એપ્રિલ આવે અને સ્વયંસેવકોની સંખ્યા પૂરી કરી સવિનય ભંગની લડત શરૂ કરીએ. પણ સરકારે તે પહેલાં જ તેમના અડાસ ગામના ભાષણને રાજદ્રોહી ગણી તેમના ઉપર જામીન કેસ કર્યો અને તેમને એક વરસની સજા કરી. તે પહેલાં કાકાસાહેબ જેઓ પણ ‘નવજીવન’માં સવિનય ભંગની તૈયારી માટે તેજ લેખ લખી રહ્યા હતા, તેમના પર સારી ચાલચલગતનો જામીન કેસ કરી તેમને એક વર્ષ માટે સરકારે પોતાના મહેમાન બનાવી દીધા હતા. સ્વરાજ્ય ફાળામાં તો ગુજરાતે ત્રણને બદલે સવા ત્રણ લાખ રૂપિયા એકઠા કર્યા પણ સ્વયંસેવકોની ભરતી એપ્રિલ આખરે ત્રણ હજારને બદલે આઠસોની જ તે કરી શક્યું. છતાં જ્યારથી ઇન્દુલાલને સજા થઈ ત્યારથી ગુજરાતના કાર્યકર્તાઓની અધીરાઈ વધવા માંડી હતી. જોકે ઈન્દુલાલે જેલ જતાં પહેલાં જેટલા સ્વયસેવકો મેળવેલા તેમાં આગળ વધુ ભરતી થતી નહોતી. તા. ૧૫-૧૬ એપ્રિલના રોજ મહાદેવભાઈના પ્રમુખપણા નીચે આમોદ ગામે ભરૂચ જિલ્લા પરિષદ થઈ પોતાના ભાષણમાં તેમણે જણાવ્યું કે, હિંદુ મુસલમાન વચ્ચે વધતાં જતાં અંતર સાંધવા માટે, લોકોની કર્તવ્યવિમુખતા નિવારવા માટે અને રચનાત્મક કામને વેગ આપવા માટે એકમાત્ર સાધન વ્યક્તિઓનાં શુદ્ધ બલિદાન છે. એમ કહીને પરિષદ પાસે તેમણે હરાવ કરાવ્યો કે ૩૦મી એપ્રિલ પછી તરત જ વ્યક્તિગત પણ આક્રમણકારી સવિનય ભંગ શરૂ કરવા પ્રાંતિક સમિતિને વિનંતી કરવી.

સરદાર લગભગ દોઢેક મહિનાથી કૉંગ્રેસ કારોબારીએ નીમેલા પ્રતિનિધિ મંડળમાં ગુજરાતની બહાર ફરતા હતા. ત્યાંથી પાછા આવતાં તેમણે મહાદેવભાઈના પ્રમુખપણા નીચે પસાર થયેલો આ ઠરાવ જોયો અને કાર્યકર્તાઓની અધીરાઈ જોઈ એટલે ‘કેસરિયાં કે આંધળિયાં’ એ નામનો લેખ લખી જણાવ્યું કે :

“ગયાજીનો કાર્યક્રમ સવિનય ભંગની તૈયારી માટે છે. એ તૈયારી પૂરી કરવાનો વખત તો પૂરો થયો નથી, તે પહેલાં એ કામ હવે થઈ શકે તેવું નથી