પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૩૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૨૮
સરદાર વલ્લભભાઈ


કરવાનો કે બીજો જે વિધિ તમારે કરવો હોય તે કરો પણ દંડ નાબૂદ થવો જોઈએ. કારણ, અમારા પ્રયત્નોથી ગુના થતા અટક્યા છે અને ભવિષ્યમાં નહીં થાય એની અમે જવાબદારી લઈએ છીએ.

કમિશનર વસ્તુસ્થિતિ સમજી ગયા અને થોડા જ વખતમાં દંડ કાઢી નાખવાના તથા જપ્તીમાં લેવાયેલો માલ તે તે આસામીને પાછો સોંપી દેવાના હુકમો નીકળ્યા. ધનુષ્યટંકારથી જ કામ પતી ગયું, બાણ ચઢાવવાની જરૂર પડી નહીં.