આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૩૭
ગૃહજીવનમાં ડોકિયું
- “ગાંધીજી છૂટી ગયા. બહુ સારું થયું. મને તો દરરોજ થયાં કરતું કે, એમને કેવી રીતે છોડાવાય ? કેવી રીતે છોડાવાય ? પણ સરકારે છોડ્યા.”
- “હા.”
- “અહીં એ ક્યારેક આવશે ?”
- “હજી ઇસ્પિતાલમાં થોડા દહાડા રહેવું પડશે.” દીકરાએ ટૂંકામાં પતાવ્યું.
- “અંદર રગ ઉપર ગૂમડું થયું હતું તેથી કાપવું પડ્યું, કેમ ? બહુ દુઃખી થયા હશે ?”
- “હાસ્તો.”
- “. . . ભાઈ હમણાં ક્યાં છે ?”
- “દિલ્હીમાં સરકાર સાથે લડે છે. જનમથી તોફાની સ્વભાવ તે કાંઈ જાય ?”
- ડોશીમાએ હકાર કે નકારમાં ડોકું ન ધુણાવ્યું. કંઈક અન્યાય થતો હોય એમ માની ચૂપ જ બેસી રહ્યાં. પછી થોડીક વાર રહીને બોલ્યાં :
- “અહીં રહેશો ?”
- “ના, કાલે જવું છે.”
- “જુઓને, બધાનું સારું થયું. અહીં પણ લોકોનું સારું થયું. ગાંધીજીયે છૂટ્યા. હવે ઘરમાંયે…”
- વાક્ય પૂરું થાય તે પહેલાં દીકરાએ તે વાક્ય ઉપાડી લીધું :
- “ઘરમાંયે સારું કરો. એટલે… બહેનને સારુ હવે તપાસ કરો, કેમ?”
- “હાસ્તો, મારી હવે ભગવાન પાસે કશી માગણી નથી. એટલું એક કામ થઈ જાય એટલે થયું.”
- “ભાગ્યમાં લખ્યું હશે તેમ થશે.”
- ભાગ્યમાં લખેલું ન માનનાર દીકરાનો ઢોંગ ડોશીમાં જોઈ શક્યાં. એટલે તરત જ બોલ્યાં :
- “તે તો થશેસ્તો. પણ આપણે કાંઈ દલાલ થયા વિના ચાલે એમ છે ?”
- દીકરા ચૂપ રહ્યા. એ વિષય દીકરાને પસંદ નથી એમ સમજી ડોશીમાએ પાછી બીજી વાત કાઢી. “પેલા તમારી સાથે મોટી દાઢીવાળા ડોસા❋[૧] આવતા હતા તે નથી આવ્યા ?”
- “ના, ઘેર રહ્યા છે.”
- દીકરાએ ભાગ્યમાં લખેલું હશે તેમ થશે એમ બોલી તો નાખેલું, પણ એમનું મન તો વિચારે ચઢ્યું હતું. તેઓ ડોશીમાના સવાલના જવાબ યાંત્રિક રીતે આપ્યે જતા હતા, મનમાં તો માએ પૂછેલી જ વસ્તુનો વિચાર કરી રહ્યા હતા.
- ↑ અબ્બાસ સાહેબ તૈયબજી.