આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૩૮
સરદાર વલ્લભભાઈ
- ડોશીમા પાછાં બોલ્યાં : “. . . બહેન તો આવીને ચાલી ગઈ. પણ . . ભાઈ તો આ વેળા ઘણા દહાડો રહ્યો. શી એની મીઠી વાણી ! આખો દિવસ બોલ બોલ કર્યા જ કરે. આખો દિવસ કલ્લોલ કર્યા કરે.” આટલી પ્રસ્તાવના કરીને દીકરાનું મન પાછું પહેલી જ વાત સાંભળવાને માટે ડોશીમાએ તૈયાર કર્યું.
- “જાણે . . . ભાઈની તો કશી ચિંતા નથી. પણ . . . બહેનની ચિંતા થયાં કરે છે. ભગવાને મને આટલો વખત જિવાડી તે જાણે એ માટે જ નહીં હોય ? . . . બહેનને પરણાવીને પછી હું મરીશ એવું લાગે છે. એ વિના બીજી કશી તૃષ્ણા હવે રહી નથી.”
- દીકરા ચૂપ જ રહ્યા. એટલે પાછી વાત બદલવાનો ડોશીમાએ ડોળ કર્યો..
- “બંને નિશાળે જાય છે કે ? ”
- “હા.”
- “બંનેની પરીક્ષા ક્યારે છે ? ”
- . . . ભાઈ મૂંઝાયા. આસપાસ બેઠેલા સૌ હસવા લાગ્યા. પોતાનાં છોકરાં કઈ પરીક્ષામાં બેસવાનાં છે તેની તેમને ખબર નહોતી. એટલે ડોશીમાએ ટકોર કરી :
- “આખા મુલકની ખબર રાખો છો અને પોતાનાં છોકરાંની નહીંં?”
- “છોકરાં હવે મોટાં થયાં. પોતે પેાતાનું સંભાળી લે.”
- સામે એક છોકરો બેઠો હતા તેને ઉદ્દેશીને ડોશીમાં બાલ્યાં : “જો, ભાઈ સાંભળ. કાકા શું કહે છે ? તમારે તમારું સંભાળવું જોઈએ.”
- મેં (મહાદેવભાઈ એ ) કહ્યું : “હવે અમદાવાદ આવીને રહો ની.”
- “રહું, ભાઈ. પણ પેલાં નાનાં (કાશીભાઈનાં બાળકો) સૂતાં છે ને, તેમને કોણ સાચવે ? ”
- એંશી વરસનાં ડોશીમા મા વિનાનાં પેલાં બાળકોની સંભાળ રાખતાં હતાં અને દીકરાને રાંધી ખવરાવતાં હતાં.
- આખરે સૌ ઊઠ્યા. દીકરાએ કહ્યું :
- “ત્યારે ઊઠીએ છીએ.” એટલે ડોશીમા બાલ્યાં :
- “. . . .ભાઈને કહેજો ની. તે ક્યાંક જોઈ રાખશે.”
- “કેમ, એમને શા સારુ કહેવું ?”
- “તમે તે છોકરાં શું ભણે છે તે જાણતા નથી તે દીકરીને માટે વર શી રીતે શોધવાના હતા ?”
સૌ હસતા હસતા નીચે ઊતર્યા. ઘડીક પછી તે ડોશીમાના દીકરાને હજારોની સભા આગળ ભાષણ આપવાનું હતું.
પણ મણિબહેન અને ડાહ્યાભાઈ પરત્વે સરદારનું સ્થાન ગાંધીજીએ બરાબર લીધું હતું અને સરદાર એ જાણતા હતા, એટલે નિશ્ચિંત હતા.