પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૪૯૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૫૮
સરદાર વલ્લભભાઈ

 અંધેર ચાલે છે એ આમ સ્વતંત્ર તપાસથી જણાયું. એટલું જ નહીં પણ સરકારી અમલદારોની જુબાની ઉપરથી પણ જણાયુ. (રિપોર્ટ, પૅરા ૪૧)

ગણોત નોંધવાની હાલ જે પ્રથા છે તે તદ્દન નકામી છે, તેમાંથી ગણોતની કશી વિગત મળતી નથી. પહાણીપત્રોમાં ભારોભાર ભૂલો હોય છે અને એ જરાય વિશ્વાસપાત્ર પત્રક નથી. (રિપોર્ટ, પૅરા ૩૮ )
૫. ગણોતના આંકડાનો ઉપયોગ કરવાની ચાલુ રીત પણ ખોટી છે અને એની ઉપરથી અનુમાન બાંધવાની રીત ખેાટી છે. (રિપોર્ટ, પાનાં ૩૫-૪૨)

સરકારનાં દફતર જે સામાન્ય રીતે લોકોને જોવાના મળતાં નથી, પણ આ તપાસને અંગે અમને જોવા મત્યાં હતાં તે કેવાં ખોટાં હોય છે તે આ તપાસમાં બહાર આવ્યું. બારડોલીને પરિણામે આખા પ્રાંતનો સવાલ ઊભો થયો અને લોકોમાં ઉત્સાહ તથા આત્મશ્રદ્ધા પ્રગટ્યાં. એ બારડોલી સત્યાગ્રહનું મોટામાં મોટું ફળ ગણાય.