પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૩
વિલાયતમાં


પુખ્ત ઉંમરે અને જીવનનો અનુભવ લઈને વિલાયત ગયેલા હોવાને લીધે આપણા કેટલાક જુવાનની વિલાયતમાં જે દશા થાય છે તેવી થવાનો સરદારને ભય નહોતો. અહીં હાઈસ્કૂલમાં વિદ્યાર્થી હતા ત્યારે જેટલા તોફાની હતા તેટલા જ સ્થિર અને એકાગ્રતાવાળા વિલાયતમાં તેઓ બન્યા. એમને તો બેરિસ્ટર થઈને બને તેટલા વહેલા પાછા આવવું હતું. મા વિનાનાં બે છોકરાંને બીજી બાઈને સોંપીને તેઓ ગયા હતા. એટલે વિલાયતમાં બીજી કશી પ્રવૃત્તિમાં માથું માર્યા વિના એકાગ્રચિત્તે પરીક્ષાની જ તૈયારી કરવા માંડી. જ્યાં રહેતા હતા ત્યાંથી મિડલ ટેમ્પલની લાઈબ્રેરી અગિયાર બાર માઈલ દૂર હતી. પોતાની પાસે તો થોડી જ ચોપડી હતી અને ત્યાં નવી ખરીદવી નહોતી. એટલે દરરોજ એટલું ચાલીને ત્યાંની લાઈબ્રેરીમાં જઈને જ વાંચવાનું રાખ્યું. દરરોજ સવારે નવ વાગ્યે ત્યાં પહોંચતા અને છેક છ વાગ્યે ટેમ્પલની લાઈબ્રેરી બંધ થાય, બધા ચાલ્યા જાય અને પટાવાળો આવીને કહે કે, “સાહેબ, હવે બધા ગયા.” ત્યારે ત્યાંથી ઊઠતા. બપોરનું ખાણું તથા સાંજના ચા નાસ્તો વગેરે ત્યાં જ મંગાવીને ખાતા. આ દિવસોમાં તેમણે રોજ દસથી બાર કલાક વાંચ્યું હશે. રાતે પાછા ચાલતા જ ઘેર જતા. એટલે રોજ બાવીસ ત્રેવીસ માઈલ ચાલવાનું થતું અને વ્યાયામ ઠીક મળતો.

બૅરિસ્ટર થવા માટે કુલ બાર ટર્મ (દરેક ટર્મ ત્રણ માસની) ભરવાની હોય છે. દરેક ટર્મમાં અમુક ભોજનો (ડિનર્સ) થાય છે તેમાંથી ઓછામાં


    તરીકે નોંધવો કે નહીં તેની તથા એક વાર પેાતાની સોસાયટીમાં બૅરિસ્ટર તરીકે નોંધ્યા પછી તેનું વર્તન નાલાયક માલૂમ પડે તો બૅરિસ્ટર તરીકેની તેની નોંધણી રદ્દ કરવાની સત્તા આ ચારે સોસાયટીઓ ધરાવે છે.
    આ સોસાયટીઓ પોતાનો કારભાર પોતપેાતાનાં નિયામક મંડળ મારફત ચલાવે છે. દરેક સોસાયટીના નિયામકમંડળના સભ્ય તે તે સોસાયટીના બેન્ચર કહેવાય છે. આ બેન્ચરો ઘણું ખરું મોટા પ્રતિષ્ઠિત જજો તથા મોટા (સિનિયર) બૅરિસ્ટરો હોય છે.
    મિડલ ટેમ્પલની ખ્યાતિ એવી છે કે મોટા મોટા નામાંકિત બૅરિસ્ટરો એમાંથી બહાર પડેલા છે. ઈનર ટેમ્પલમાં ભણનારા મોટે ભાગે અમીર વર્ગના અને બહુ ફેશનમાં રહેનારા હોય છે. ગાંધીજી ઈનર ટેમ્પલના બૅરિસ્ટર હતા. એમને ૧૯૨૨માં રાજદ્રોહના આરોપ માટે છ વરસની સજા થઈ ત્યારે ઈનર ટેમ્પલે પોતાના પત્રકમાંથી એમનું નામ કાઢી નાખ્યું હતું.
    દરેક સોસાયટીના મકાનમાં એક મોટું ભોજનગૃહ, એક દીવાનખાનું (કૉમન રૂમ), એક પુસ્તકાલય તથા એક દેવળ એટલું તો હોય જ છે. તે ઉપરાંત પણ દરેક સોસાયટી બહુ સ્થાવર તથા જંગમ મિલકત ધરાવે છે. ચારે સોસાયટીઓ સમૂહમાં 'ઈન્સ ઑફ કોર્ટ' એ નામથી ઓળખાય છે.