પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૧૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૫
૧૪૫
વત્સલ હૃદય


તા. ૧૭–૭–’૩રના રોજ યરવડા મંદિરમાંથી શ્રી મણિબહેનને પોતાના એક ભત્રીજા વિષે લખે છે :

“… હવે એ મોટો થયો એટલે કોઈના કહેવાથી સુધરે નહીં. એને જેમ ફાવે તેમ કરવા દેવામાં જ ડહાપણ છે. દબાણ કરવાથી છાનાંછૂપાં કામ કરે. તે કરતાં ખુલ્લાં કરશે એ જ સારું છે. પૈસા હશે એટલા ખોશે એટલે ઠેકાણે આવશે. ખોટે માર્ગે ન જાય ત્યાં સુધી આપણે વચ્ચે ન પડી શકીએ. ખરાબ રસ્તે જતો હોય તો કહીએ. પણ કહેવાનીયે હદ છે. એટલી મોટી ઉંમરનાને શું કહેવું ?”

ડાહ્યાભાઈ તાજેતરમાં જ વિધુર થયા હતા. તેમનાં લગ્ન વિષે લોકો મણિબહેનને પૂછ્યાં કરતા હતા. તે વિષે મણિબહેનને એ જ કાગળમાં સલાહ આપે છે :

“ચિ. ડાહ્યાભાઈના વિવાહ સંબંધમાં લોકો જે પૂછે તેને આપણે સભ્યતાથી માત્ર એટલો જ જવાબ આપવો કે ડાહ્યાભાઈ પોતાની ઇચ્છામાં આવે તેમ કરશે. એ સમજુ છે અને પુખ્ત ઉંમરના છે. એમને એ વિષયમાં કોઈની સલાહની જરૂર નથી. અને બીજાની સલાહ એમાં કામમાં પણ ન આવે. કોઈને આપણે દુઃખ લાગે તેવું કહેવાની શી જરૂર ? લોકો તો સમાજના રિવાજ પ્રમાણે પૂછે, તેમાં આપણે શું ? ડાહ્યાભાઈ શું કરશે એ કહેવું પણ મુશ્કેલ છે. અત્યારથી આખી ઉંમર એકલા કાઢવી એ કઠણ છે. તેમ બીજી ઉપાધિમાં પડવું એ પણ કઠણ છે. બેમાંથી કયો માર્ગ લેવો એનો નિર્ણય એ પોતે જ્યારે વખત આવશે ત્યારે કરી લેશે. અત્યારે તો એને કંઈ પુછાય જ નહીં. એનો તાજો ઘા લાગ્યો છે તે રુઝાતાં વખત લાગશે. બેએક વર્ષ પછી એની ઇચ્છા ફરી લગ્ન કરવાની થશે તો ભલે કરતો. અને ન કરવું હોય તોપણ સારું છે. આ કામમાં કોઈની સલાહ કામમાં ન આવે અને કોઈએ સલાહ આપવી પણ ન જોઈએ.”

શ્રી ડાહ્યાભાઈને તા. ૬–૧૨–’૩રના રોજ એના કામકાજ અંગે સ્વભાવ સુધારવાની શિખામણ આપે છે, તે હરકોઈ યુવાને હૃદયમાં કોતરી રાખવા જેવી છે. ડાહ્યાભાઈ તે વખતે ટાઈફૉઈડની બીમારીમાંથી તાજા જ ઊઠેલા હતા.

“એક બે વાતો ઉપર લખવાનો વિચાર હતો પણ તમે પથારીવશ હતા એટલે લખતો નહોતો. હવે કંઈ ઠીક થયું છે એટલે લખું છું. એથી તમારે દુઃખ ન લગાડવું જોઈએ. પણ હું લખું છું એ વાત ઉપર બરોબર વિચાર કરી ભૂલ થતી હોય તો સુધારવા પ્રયત્ન કરવો જોઈએ. તમે ઑફિસમાં કાગળ લખો છ્પ્ તેમાં ભાષા ઉગ્ર અને સામાને માઠું લાગે તેવી હોય છે. ઑફિસમાં કોઈની સાથે આપણી જબાનથી કે કલમથી વિરોધ થાય અગર કોઈને દુઃખ લાગે એ સારું ન જ ગણાય. એથી ભવિષ્યની ઉન્નતિમાં વાંધો આવે, એટલું જ નહીં પણ એથી તે આપણી આબરૂ બગડે. વખતે આપણા માટે કોઈ ન કહે. પણ તેથી શું ? ખરું જોતાં આપણાથી નાના માણસ હોય તેની સાથે મીઠાશથી કામ લેવું જોઈએ. આપણા સાથીઓ અને ઉપરીઓની સાથે પણ યોગ્ય મર્યાદામાં રહી