પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૧૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૭
વત્સલ હૃદય
કોઈ વખત ગમે તે બનાવ બને તોપણ જરાયે મૂંઝાવું ન જોઈએ. બાપુ જે કરે તે બધી જ સ્થિતિને વિચાર કરીને જ કરતા હશે એમ માનવું જોઈએ. પરિણામ હંમેશાં ઈશ્વરના હાથમાં છે. કોઈનું ધાર્યું થતું નથી. સારું કાર્ય કરતાં સારું પરિણામ ન આવે તોયે શું ? આ વાત લક્ષમાં રાખી જેલમાં પડેલાએ બહારની કશી જ ચિંતા ન કરવી જોઈએ. આ બધું તમારે બેઉએ સમજવાનું છે. ભવિષ્યમાં શું શું કરવું પડશે અગર વેઠવું પડશે એ કોને ખબર છે ? એટલે દુઃખમાં સુખ માનનાર માટે કારાવાસ છે એ સમજી લેવું.
“બાપુના સમાચાર તો તમને રોજ ને રોજ મળે છે. અને તમને સામા કાગળ લખવાની પણ છૂટ મળી છે. એટલે તમને કશી ચિંતા ન થવી જોઈએ.
“મૃદુલા બહાદુર છે. એને રોવાનું કે ગભરાવાનું હોય જ નહીં. આ કાગળ મળશે ત્યારે બાપુના ઉપવાસ પૂરા થઈ જવા આવ્યા હશે કે પૂરા થઈ ગયા હશે. પણ ભવિષ્યમાં તમારે બેઉએ યાદ રાખવા માટે જ લખું છું. બહાર બનતા કોઈ પણ બનાવથી જરાયે અસ્વસ્થ ન થઈએ. એટલી શક્તિ મેળવી હોય તે જ જેલ જવાને લાયક ગણાય. આપણે આપણો ધર્મ બજાવ. એથી વિશેષ આપણી ફરજ નથી.
“બાપુના તપમાંથી માત્ર એક જ વાત આપણે વિચારવાની અને કરવાની રહે છે. તે તે આપણી પોતાની વિશેષ શુદ્ધિ. એ કેટલે અંશે આપણે કરી શકીએ છીએ તેને વિચાર કરવો, કે જેથી દેશસેવાને માટે આપણે વિશેષ યોગ્યતા મેળવી શકીએ. એથી વિશેષ કરવાપણું કે વિચારવાપણું ન જ હોય. આ વખતે તેમાં હિંમત સારી રાખી છે. તે માટે તને મુબારકબાદી આપું છું. મૃદુલાનો પ્રેમ સંપાદન કર્યો છે તે માટે પણ તને મુબારકબાદી આપું છું. તારી હૂંફથી એને વિષે અંબાલાલભાઈ અને સરલાદેવી ભારે નિશ્ચિંત થઈ ગયાં હોય એમ એમના કાગળો ઉપરથી જોઈ શકાય છે.
“બાપુ ઉપરના તમારા કાગળો કોણ વાંચે છે એની ચિંતા કરવી જ નહીં. એમની પાસે કશું છાનું હોતું નથી, એ તો તને ખબર હોવી જ જોઈએ. અને આપણે પણ થોડું જ કોઈનાથી કંઈ છાનું રાખવાનું છે ?”

પોતાના ઉપવાસ પોતાની અને સમાજની શુદ્ધિને માટે છે, એમ ગાંધીજીએ કહેલું તે ઉપરથી મણિબહેનને થયાં કરતું કે આપણા દોષ માટે તો બાપુજી ઉપવાસ નહીં કરતા હોય ? તે ઉપરથી તા. ૧૬–૬–’૩૩ ના રોજ તેમને લખ્યું :

“ઉપવાસ દરમિયાન બાપુ ઉપર આવેલા તમારા કાગળોમાંથી તમારી અસ્વસ્થતા ખૂબ લાગતી હતી એમ મહાદેવ લખતા હતા. એ વિષે મેં ગયા કાગળમાં લખ્યું તો હતું જ. હવે સ્વસ્થતા આવી હશે એમ માનું છું. આપણાથી કાંઈ દોષ થઈ ગયો હોય તે વારંવાર યાદ કરી દુઃખી થવામાં કશો સાર નથી. ભવિષ્યનું જીવન સુધારી લેવામાં જેટલો પ્રયત્ન થાય તેટલો કરવો એ જ ખરો ઉપાય છે, એ જ ખરું કર્તવ્ય છે. એટલે જાગ્યા ત્યાંથી સવાર ગણી ઈશ્વર ઉપર વિશ્વાસ રાખી, ભવિષ્યનું સુધારી લેવાનો વિચાર કરવો. કશી મૂંઝવણ ન કરત