પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૨૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૨૦
સરદાર વલ્લભભાઈ


પણ ગાંધીજી પોતાની સલાહમાં મક્કમ રહ્યા. તેમણે કહ્યું કે, આ શરત સિવાય આપણે પ્રધાનમંડળો રચવા જઈશું તો આપણી મોટી ભૂલ થશે. બંધારણનો જે કાયદો બ્રિટિશ પાર્લમેન્ટે પસાર કર્યો છે તેની કલમે કલમમાં હું તો આપણી પ્રજાની સ્વરાજ ચલાવવાની લાયકાત વિષે શંકા ભરેલી જોઈ રહ્યો છું. વળી સુધારા આપ્યા છતાં બ્રિટિશ પ્રજાને હિંદુસ્તાનમાં બ્રિટિશ સત્તા કાયમ રાખવી છે. કૉંગ્રેસ ધારાસભામાં જાય છે તે બ્રિટિશ સત્તાને કાયમ કરવા નહીં, પણ સ્વરાજ સિદ્ધ કરવા માટે જાય છે. એટલે પ્રધાનોના રોજબરોજના કામમાં ગવર્નરો દખલ કરે એ આપણને પોસાય નહીં. આપણે તો બ્રિટિશ પાર્લમેન્ટે પાસ કરેલા બંધારણના કાયદાને વ્યર્થ કરી નાખવો છે. છતાં આપણે ખાતરીની માગણી કરીએ છીએ એનો અર્થ એ તો નથી જ કે ગવર્નર અને પ્રધાનો વચ્ચે ગંભીર મતભેદ ઊભો થાય તો પ્રધાનોને કાઢી મૂકવાની અથવા ધારાસભાઓને પણ બરખાસ્ત કરવાની ગવર્નરની સત્તા આપણે છીનવી લેવા માગીએ છીએ. આપણો વાંધો તો પ્રધાનોને ગવર્નરની દખલગીરીને વશ થવું પડે અને વશ ન થવું હોય તો તેમણે રાજીનામું આપવું પડે તેની સામે છે. આ પ્રસંગે પ્રધાનોને કાઢી મૂકવાની જવાબદારી આપણે ગવર્નર ઉપર નાખવા માગીએ છીએ. એ રીતે આપણી માગણીમાં બંધારણ વિરુદ્ધ અથવા કાયદા વિરુદ્ધ એવું કશું નથી. આ મતલબનો હરાવ કૉંગ્રેસની કારોબારીએ પસાર કર્યો.

એપ્રિલની પહેલી તારીખે આ નવું બંધારણ અમલમાં આવતું હતું. એટલે શિરસ્તા મુજબ ગવર્નરોએ ધારાસભામાંના બહુમતી પક્ષના નેતાઓને બોલાવીને પ્રધાનમંડળ રચવાનું કહેવું જોઈએ. જુદા જુદા પ્રાંતના કૉંગ્રેસ પક્ષના નેતાઓએ તેમને બોલાવવામાં આવ્યા ત્યારે ગવર્નરને કૉંગ્રેસની શરત જણાવી દીધી અને ગવર્નરે તે સ્વીકારવાની અશક્તિ જણાવી એટલે પ્રધાનમંડળ રચવાની ના પાડી. સરકારે હવે બીજી યુક્તિ અજમાવી. છ મહિના સુધી ધારાસભાને બોલાવ્યા વિના પ્રાંતનું તંત્ર ચલાવવાની ગવર્નરને કાયદામાં સત્તા હતી એટલે લઘુમતી પક્ષમાંથી તેમણે પ્રધાનમંડળ ઊભાં કર્યાં – એવી આશાથી કે હોદ્દાની લાલચને લીધે ધીમે ધીમે કૉંગ્રેસ પક્ષના ધારાસભ્યોમાં ફૂટ પડશે. પણ આવી કશી ફૂટ પડી નહીં એટલે ત્રણેક મહિના રાહ જોયા પછી બ્રિટિશ પ્રધાનોએ અને વાઈસરૉયે ફેરવી તોળ્યું. વાઈસરૉયે તા. ૨૧મી જૂને સીમલાથી રેડિયો ઉપર ભાષણ કર્યું તેમાં જણાવ્યું કે,

“કૉંગ્રેસ જે જાતના ભચ સેવી રહી છે તે સાચા દિલથી સેવે છે એ હું કબૂલ કરું છું. પણ હું જોઉં છું કે હકીકતમાં એ ભય પાયા વિનાનો છે. ગવર્નરો કાંઈ પ્રધાનોની નીતિમાં અને કામકાજમાં દખલ કરવાના પ્રસંગો શોધવાના