પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૨૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૨૬
સરદાર વલ્લભભાઈ
મારી લાગણીને હું આડે આવવા દઈશ નહીં. એટલે જ્યાં સુધી શ્રી ખેર આપણા પક્ષના ચૂંટાયેલા નેતા છે ત્યાં સુધી પૂરા હૃદયથી અને સાચી નિષ્ઠાથી તેમને સહકાર આપવાની આપણે પ્રતિજ્ઞા લેવી જોઈએ.”

આમાં પોતાને અન્યાય થયાની પોતાની માન્યતાનો ધ્વનિ સ્પષ્ટ દેખાઈ આવે છે.

દિલ્હીમાં કારોબારીની મીટિંગો અને મહાસમિતિની બેઠક તા. ૧૫મી માર્ચથી શરૂ થઈ હતી એટલે ઘણા ધારાસભ્યો દિલ્હીમાં ત્યારથી જ પહોંચી ગયેલા હતા. મુંબઈનાં છાપાંઓનો અનિષ્ટ પ્રચાર જોઈને તા. ૧૬મી માર્ચ મુંબઈ પ્રાંતના તે વખતે ત્યાં હાજર એવા ૪૭ ધારાસભ્યોની સહીથી એક નિવેદન બહાર પાડવામાં આવ્યું. તેમાં જણાવવામાં આવ્યું કે,

“અમારા પક્ષના નેતા તરીકે શ્રી ખેરની ચૂંટણી થઈ તે બાબતમાં મુંબઈનાં કેટલાંક વર્તમાનપત્રોમાં સરદાર વલ્લભભાઈની સામે જે બદનક્ષીભરેલો પ્રચાર થઈ રહ્યો છે તથા તેમના ઉપર બિનજવાબદાર અને દ્વેષયુક્ત આક્ષેપ મૂકવામાં આવે છે, તેથી અમને બહુ દુઃખ થાય છે. તા. ૧૨મી માર્ચની ધારાસભાના કૉંગ્રેસ પક્ષની મુંબઈની સભામાં અમે સઘળા હાજર હતા તેમાં શ્રી ખેરને સર્વાનુમતે નેતા ચૂંટવામાં આવ્યા હતા તથા બીજા હોદ્દેદારો નીમવાની સત્તા તેમને આપવામાં આવી હતી. સરદાર તરફથી કોઈ પણ સભ્ય ઉપર કશું ગેરવાજબી દબાણ કરવામાં આવ્યાની વાત તદ્દન બિનપાયાદાર અને બેવજૂદ છે. એટલે અમે કૉંગ્રેસના પ્રમુખને વિનંતી કરીએ છીએ કે એક નિવેદન બહાર પાડીને દેશના રાષ્ટ્રીય જીવનમાં ઝેર ફેલાવતા આ પ્રચારને વખોડી કાઢી બંધ કરાવવા કોશિશ કરે.”

દરમ્યાન શ્રી નરીમાનને અન્યાય થયો છે એવી ફરિયાદોના કેટલાક કાગળો કૉંગ્રેસના પ્રમુખ તથા કારોબારી સમિતિ ઉપર આવ્યા હતા. તે ઉપરથી કારોબારી સમિતિએ આ બાબતની પૂરી તપાસ કરી નીચે પ્રમાણે ઠરાવ કર્યો :

“મુંબઈનાં વર્તમાનપત્રોમાં જે પ્રચાર ચાલી રહ્યો છે તે જોઈને કારોબારી સમિતિને ઘણું આશ્ચર્ય અને દુઃખ થાય છે. આ બાબતમાં કારોબારી સમિતિએ વિગતોમાં ઊતરીને તપાસ કરી છે તથા શ્રી નરીમાનની, તેમના તરફથી બહુ લંબાણથી રજૂ કરવામાં આવેલી બધી હકીકત સાંભળી છે. તે ઉપરથી સમિતિની ખાતરી થઈ છે કે મુંબઈની ધારાસભાના કૉંગ્રેસ પક્ષે સ્વતંત્ર રીતે, વિચારપૂર્વક અને સર્વાનુમતે જે ચૂંટણી કરી છે તેમાં વચ્ચે પડવાનું કશું જ કારણ તેને દેખાતું નથી. સમિતિને એ પણ ખાતરી થઈ છે કે પક્ષના નિર્ણય સામે જે પ્રચાર ઉપાડવામાં આવ્યો છે તે તદ્દન બિનપાયાદાર તથા પ્રાંતના જાહેર જીવનને તેમ જ કૉંગ્રેસના કાર્યને નુકસાન પહોંચાડનારો છે. આ સમિતિ તેને વખોડી કાઢે છે. જો સમિતિને એમ માનવાને કારણ જણાયું હોત કે કોઈ પણ માણસના અયોગ્ય વર્તનથી ચૂંટણી ઉપર અસર પડી છે અથવા તો આક્ષેપ મૂકવામાં