પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૨૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૫૫
નરીમાન પ્રકરણ — ૨
આ ત્રણ સ્થાનો તેઓ ધરાવતા હોઈ તેમની પાસેથી સ્વાભાવિક રીતે જ એવી અપેક્ષા રખાય કે મતદારોનાં પત્રક તેઓ કાળજીપૂર્વક તપાસી ગયા હોવા જોઈએ, ચૂંટણીને લગતા નિયમો તથા ધારાધોરણોનો તેમણે કાળજીપૂર્વક અભ્યાસ કર્યો હોવો જોઈએ, અને કૉંગ્રેસે પસંદ કરેલા ઉમેદવારો ફતેહમંદ થાય તે માટે આવશ્યક બધી તૈયારીઓ તેમણે કરી હોવી જોઈએ. આવી અપેક્ષા ન રાખવી એ પોતાની ફરજો બજાવવામાં તેમણે અક્ષમ્ય બેદરકારી રાખી એ આરોપ તેમના ઉપર મૂકવા બરાબર થાય. આમ છતાં શ્રી નરીમાન કહે છે કે મારું નામ મતદારપત્રકમાં નહોતું એની ખબર મને ચૂંટણીને આગલે દિવસે એટલે તા. ૧૦મીએ જ પડી. હવે ડૉ. દેશમુખના નિવેદન પ્રમાણે તેમણે તા.૬ઠ્ઠી ઓક્ટોબરે શ્રી નરીમાનને ફોન કરેલો કે તમારા ઉમેદવારીપત્રમાં ભરેલું સરનામું અને મતદારપત્રકમાં છપાયેલું સરનામું બરાબર નથી. ડૉ. દેશમુખે એમ પણ કહ્યું કે શ્રી છોટાલાલ સૉલિસિટર જેઓ ઉમેદવારીપત્ર આપવા કલેક્ટરની ઑફિસમાં ગયા હતા તેઓ એમ કહે છે કે કલેક્ટરની ઑફિસમાંથી તેમને એમ કહેવામાં આવ્યું છે કે મતદારની યાદીમાં જે પ્રમાણે સરનામું હોય તે પ્રમાણે ઉમેદવારીપત્રમાં સરનામું હોવું જોઈએ. એક અથવા બે દિવસ પછી શ્રી નરીમાને મને (ડૉ. દેશમુખને) ખબર આપી કે એમણે પોતાના સરનામા વિષે ચોકસાઈ કરી લીધી છે. મતદારોની યાદીમાંનું એમનું સરનામું બરાબર છે અને એ પ્રમાણે એમનું ઉમેદવારીપત્ર ભરીને મારે નોંધાવી દેવું.
“ શ્રી નરીમાન મારી સમક્ષ રજૂ કરેલા પોતાના પહેલા નિવેદનમાં કહે છે કે ડૉ. દેશમુખે છેલ્લા દિવસની અગાઉ થોડા જ દિવસ પહેલાં મને કહ્યું કે તમારા સરનામા વિષે શંકા પડે છે. માટે તમે કલેક્ટરને ત્યાં જઈ વખતસર ખાતરી કરી લો. એટલે ૧૬મી ઓક્ટોબરે અથવા તે અરસામાં હું (નરીમાન) ડૉ. દેશમુખ તથા ડૉ. સાઠેને સાથે લઈ કલેક્ટરની ઑફિસમાં ગયો અને ત્યાં ઍસિસ્ટંટ કલેક્ટરને મળ્યો. સરદાર વલ્લભભાઈના નિવેદનનો જે જવાબ શ્રી નરીમાને આપ્યો છે તેમાં તેઓ કહે છે કે ડૉ. દેશમુખે સરનામા વિષે મને ફોન કર્યો ત્યારે મેં જવાબ આપ્યો કે ‘બહુ સારું. (Very well)’ હું વસ્તુ બરાબર સમજ્યો છું કે નહીં તેની ખાતરી કરી લેવા તેમણે એ વસ્તુ ફરી કહી. ત્યારે મેં જવાબ આપ્યો કે ‘એ બધું બરાબર છે. (It is alright)’ એટલે કે હું તેમનો સંદેશો બરાબર સમજ્યો છું અને જે જરૂરી હશે તે કરી લઈશ. મારા આ શબ્દોનો વિકૃત અર્થ કરીને સરનામું બરાબર છે એમ કહેવામાં આવે છે.
“હવે શ્રી નરીમાન એમ નથી કહેતા કે તેમણે તપાસ કરી લીધી અથવા તો બધું સરખું કરવાને માટે કાંઈ પણ તજવીજ કરી. શ્રી નરીમાન એટલું તો કબૂલ કરે છે કે ૧૯૩૪માં વડી ધારાસભાના મતદાર થવા માટે તેઓ યોગ્ય નહોતા, એ પોતે જાણતા હતા. આમ હોવાને લીધે ૬ઠ્ઠી ઑક્ટોબરે જ્યારે તેમને ફોન કરવામાં આવ્યો ત્યારે ‘૪૫, ઍસ્પ્લેનેડ રોડ,’ એ સરનામું પોતાના ભાઈનું છે અને પોતાનું નથી એમ તેમણે કેમ ન કહ્યું એ બહુ વિચિત્ર લાગે છે. એ પણ એટલું જ વિચિત્ર લાગે છે કે તેમણે તે ને તે વખતે ડૉ. દેશમુખનું ધ્યાન એ વસ્તુ ઉપર કેમ ન દોર્યું કે પ્રાંતિક ધારાસભાના મતદારોની યાદીમાં પોતાનું નામ