પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૪૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૪૩૧
ત્રિપુરી કૉંગ્રેસ

ઇચ્છાનો મારા મનમાં વિરોધ નથી. સાથીઓના અભિપ્રાય સાથે હું મળતો થતો ન હોત તો હું જરૂર મારું નામ પાછું ખેંચી લેત. અમે એમ માનીએ છીએ કે એના એ માણસને લાગલાગટ બીજી વાર, ખાસ અપવાદરૂપ સંજોગો સિવાય પ્રમુખ ચૂંટવો જોઈએ નહીં. પ્રસ્તુત દાખલામાં એવા અપવાદરૂપ સંજોગો હસ્તી ધરાવતા નથી.”

સરદારના અને ડો. પટ્ટાભીનાં નિવેદનના જવાબમાં સુભાષબાબુએ તા. ૨૬ મીએ વળી પાછું એક નિવેદન બહાર પાડ્યું, તેમાં જણાવ્યું કે,

“મને લાગે છે વળગે છે ત્યાં સુધી તો મેં જાહેર કર્યું છે કે ખરો મુદ્દો સમૂહતંત્રનો જ છે. કોઈ સાચા સમૂહતંત્ર વિરોધીને પ્રમુખ તરીકે સ્વીકારવામાં આવે તો તેની તરફેણમાં ખસી જવાને હું બહુ રાજી છું. મારી આ દરખાસ્ત મેં જાહેર કરી છે અને ચૂંટણીના દિવસ સુધી તે ખુલ્લી જ છે.”

૫ં. જવાહરલાલ નેહરુ જેઓ આ ચર્ચા ચાલતી હતી ત્યારે આરામ માટે અલમોડા ગયા હતા, તેમણે તા. ૨૬ મીએ ત્યાંથી એક નિવેદન બહાર પાડ્યું. તેમાંથી મહત્ત્વના બે ફકરા નીચે આપ્યા છે :

“ પ્રમુખની ચૂંટણી બાબતમાં બે જુદા જુદા કાર્યક્રમો વચ્ચે ક્યાં વિરોધ છે ? હિંદુસ્તાનમાં બહુ મહત્વના પ્રશ્નો ઘણા છે. પણ આ બાબતમાં સમૂહુતંત્રના ઉલ્લેખ કરવામાં આવે છે એટલે હું માની લઉં છું કે પ્રમુખની ચૂંટણી પર બીજો કશો મતભેદ નથી. ત્યારે શું સમૂહતંત્ર વિષે કોઈ જાતનો વિરોધ છે ખરો ? હોય એમ હું તો જાણતો નથી. કારણ એ બાબતમાં કૉંગ્રેસનું વલણ ચોક્કસ અને સ્પષ્ટ છે. હું જ્યારે ઇંગ્લંડમાં હતો ત્યારે અસંદિગ્ધ ભાષામાં મેં આ વલણ જાહેર કર્યું હતું. તેમાં હું કેવળ મારો પોતાનો અભિપ્રાય નહોતો દર્શાવતો પણ આખી કારોબારી સમિતિનો અભિપ્રાય જાહેર કરતો હતો. ત્યાં હું જે કાંઈ કરતો અને કહેતો એનો સંપૂણ હેવાલ હું રાષ્ટ્રપતિને અને કારોબારી સમિતિને મોકલી આપતો. તેમની સુચનાઓ પણ માગતો. તેના જવાબમાં મને એમ કહેવામાં આવેલું કે સમૂહુતંત્રની બાબતમાં હું જે વલણ દર્શાવું છું તે આખી કારોબારી સમિતિને અને ગાંધીજીને પસંદ છે. ત્યાર પછી તો પરિસ્થિતિને કારણે કૉંગ્રેસનું વલણ વધારે કડક બન્યું છે. આજે કોઈ કૉંગ્રેસી સમૂહતંત્રની બાબતમાં માંડવાળ કરવાનો વિચાર કરે એ ન ક૯પી શકાય એવું છે.



“ કસોટીના વખતમાં કૉંગ્રેસના પ્રમુખ થવું એટલે શું એનો મને ઠીક ઠીક અનુભવ છે. કેટલીયે વાર રાજીનામું આપવાની અણી ઉપર હું આવી ગયો છું. કારણ મને લાગતું કે એ હોદ્દો ધારણ કર્યા વિના આપણા ધ્ચેચની અને કૉંગ્રેસની હું વધારે સારી સેવા કરી શકું. આ વરસે કેટલાક સાથીઓએ તો પ્રમુખપદ માટે ઉમેદવારી કરવાનો મને આગ્રહ પણ કર્યો હતો. પણ મેં ઘસીને ના પાડી. તેનાં કારણોની અહીં ચર્ચા કરવાની જરૂર નથી. એ અને બીજાં કારણોસર પણ મારો તો સાફ અભિપ્રાય છે કે સુભાષબાબુએ પ્રમુખપદ માટે ઊભા રહેવું જોઈએ નહીં. મને તો લાગે છે આ વખતે એ હોદ્દો ધારણ કરવાથી મારી