પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૪૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૪૫૪
સરદાર વલ્લભભાઈ

આદેશ આપવામાં આવે છે કે તેમણે બધી જાતની પરિસ્થિતિનો સામનો કરવા તૈયાર રહેવું અને હિન્દની ઈજ્જતને અથવા તો જે સિદ્ધાંતને સારુ કૉંગ્રેસ ખડી છે તે સિદ્ધાંતને બંધબેસતું ન હોય એવું કશુંયે બોલવું કે કરવું નહીં. વાણી તેમ જ વર્તન ઉપર કાબૂ રાખવો. સવિનય ભંગ, રાજદ્વારી હડતાલો કે એવાં કશા ઉતાવળાં પગલાં લેવા સામે કૉગ્રેસવાદીઓને ચેતવણી આપવામાં આવે છે. સમગ્ર પરિસ્થિતિને તથા હિન્દમાંની બ્રિટિશ સરકારની કારવાઈને સમિતિ તપાસ્યા કરશે. અને જ્યારે જરૂર જણાશે ત્યારે વધુ પગલાં લેવાને અંગે દેશને દોરવણી આપવા ચૂકશે નહીં. સમિતિ તમામ કૉંગ્રેસવાદીઓને ઠસાવવા ઇચ્છે છે કે દેશની સામે ખડા થયેલા પ્રસંગના ચોગ્ય સામનાના કાર્યક્રમને સારું કૉંગ્રેસીએમાં પૂરેપૂરી શિસ્ત અને કૉંગ્રેસ તંત્રનું સંગઠન અતિ આવશ્યક છે.

"આ અગાઉં કૉંગ્રેસે ચલાવેલી અહિંસક લડતોમાં કોઈ કોઈ પ્રસંગે હિંસાનું મિશ્રણ થયું છે, એ બીનાનું આ સમિતિને ભાન છે. સમિતિ તમામ કૉંગ્રેસીઓના દિલમાં સચોટપણે ઠસાવવા માગે છે કે જો કદી કશી લડત ઉપાડવામાં આવે તો જે કંઈ પ્રતિકાર કરવો પડે તેમાં કોઈ જાતની હિંસા ન હોવી જોઈએ. અણિશુદ્ધ અહિંંસા જળવાવી જોઈએ. આ બાબતમાં સમિતિ તમામ કૉંગ્રેસીઓને અમદાવાદના ૧૯૨૧ના કૉંગ્રેસ અધિવેશન વેળાએ લીધેલી અને પછીનાં અધિવેશનમાં ફરી ફરીને ઉચ્ચારાયેલી સત્યાગ્રહીની પ્રતિજ્ઞાની ચાદ આપે છે.”

ઉપરનો ઠરાવ પસાર થયા પછી તરત જ કારોબારી સમિતિની સંમતિથી પાર્લમેન્ટરી કમિટીએ કૉંગ્રેસી પ્રધાનમંડળોને નીચેની સૂચના આપી :

"કારોબારીનો ઠરાવ પ્રાંતિક કૉંગ્રેસ સરકારોને રાજીનામાં આપવાનું ફરમાવે છે. આ રાજીનામાં અગત્યના કામોની ચર્ચા કરવાને માટે બોલાવેલી ધારાસભાની બેઠક મળે ત્યાર પછી તમારે આપવાં. પણ એવી આશા રાખવામાં આવે છે કે ૩૧મી ઓકટોબર સુધીમાં પ્રધાનોનાં રાજીનામાં પડી જશે.

“ સ્પીકરો, ડેપ્યુટી સ્પીકરો અને ધારાસભાના સભ્યો તથા કાઉન્સિલના સભ્યો અને તેના પ્રમુખોએ રાજીનામાં આપવાં નહીંં. અત્યારે તો પ્રધાનો અને પાર્લમેન્ટરી સેક્રેટરીઓએ રાજીનામાં આપવાનાં છે.

“ રાજીનામાં આપતી વખતે યુદ્ધહેતુઓ જાહેર કરવાની માગણી કરતો ઠરાવ તમારે દરેક ધારાસભામાં કરવાનો છે.”

મદ્રાસ, મધ્ય પ્રાંતો, બિહાર, યુક્ત પ્રાંતો, મુંબઈ, ઓરિસા અને સરહદ પ્રાંતની ધારાસભાઓમાં નીચે પ્રમાણે ઠરાવ પસાર કરવામાં આવ્યો :

“ ગ્રેટ બ્રિટન અને જર્મની વચ્ચેના યુદ્ધમાં હિન્દુસ્તાનના લોકોની સંમતિ વિના હિન્દુસ્તાનને બ્રિટિશ સરકારે સામેલ કર્યું છે અને હિન્દી લોકમતની પૂરેપૂરી અવગણના કરીને પ્રાતિક સરકારોની સત્તાઓ અને પ્રવૃત્તિઓ ઉપર કાપ મૂકનારા કાયદાઓ પસાર કર્યા છે તેથી આ ધારાસભાને દિલગીરી થાય છે. આ ધારાસભા સરકારને ભલામણ કરે છે કે હિન્દુસ્તાનની સરકારને અને તેની મારફત બ્રિટિશ સરકારને જણાવી દેવું કે વર્તમાન યુદ્ધના જાહેર કરેલા