આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૬૧
પ્રધાનમંડળોનાં રાજીનામાં પછી
- “આપણે જો પ્રજાશાહી સરકાર જોઈતી હોય તો એ આવશ્યક છે કે લઘમતીએ બહુમતીના શાસનને આધીન થવું જોઈએ. આપણા દેશમાં દરરોજ એ પ્રમાણે બને છે. આપણે પ્રજાશાહી સ્વીકારીએ, પ્રજાશાહી પદ્ધતિ સ્થાપિત કરીએ તો અમુક વર્ગ, અમુક પક્ષ કે અમુક જાત બહુમતીમાં આવવાની જ અને પ્રજાશાહી પદ્ધતિનું એ પરિણામ આપણે સ્વીકારવું જ પડવાનું. અત્યારે આપણને ગમતું હોય કે ન ગમતું હોય પણ બ્રિટિશ હિન્દમાં કૉંગ્રેસ પક્ષ બહુમતીમાં છે એ નિર્વિવાદ છે. …
- “હું એમ કહેવા માગું છું કે આપણે એક તરફથી એવો દાવો કરીએ કે આ યુદ્ધ અમે સ્વતંત્રતા અને પ્રજાશાહીને માટે લડીએ છીએ; અને બીજી તરફથી બ્રિટિશ સામ્રાજ્યના અમુક ભાગને, જે આપણે કબૂલ કરીએ છીએ અને ગવર્નર જનરલ પોતે પણ કબૂલ કરે છે કે સ્વરાજ માટે પૂરેપૂરો લાયક છે, તેને એ વસ્તુ આપવાની ના પાડીએ, તો હિન્દુસ્તાનના લોકો જરૂર કહેશે કે અનેક દાખલાઓમાં આ એક વધારો થાય છે જ્યાં બ્રિટન કહે છે એક વસ્તુ અને કરે છે બીજી વસ્તુ.
- “હિન્દી કૉંગ્રેસે આપણા યુદ્ધહેતુઓની અને હિન્દુસ્તાન વિષેના આપણા ઇરાદાઓની સ્પષ્ટતા કરવાની જે માગણી કરી છે તેને આપણે શું જવાબ આપવો જોઇએ ? હું સુચવું છું કે આપણો જવાબ નીચે મુજબનો હોવો જોઈએ, અને તે આપણે અત્યારે જ આપવો જોઈએ :
- (૧) હુિન્દુસ્તાનના લોકોને ખાતરી આપવી જોઈએ કે હિન્દુસ્તાનને સ્વરાજ આપવાનું આપણું તાત્કાલિક ધ્યેય છે.
- (૨) બ્રિટિશ હિન્દુસ્તાન માટે નવી મધ્યવર્તી ધારાસભાની અત્યારે જ ચૂંટણી કરવાની આપણે સંમતિ આપવી જોઈએ. હું તેમાં કશી મુશ્કેલી જોતો નથી. એક નામદાર સભ્ય કહે છે કે હિન્દુસ્તાનમાં અત્યારે ચૂંટણી ન થઈ શકે. ક્વિબેકમાં જો અત્યારે ચૂંટણી થઈ શકી છે તો હિન્દુસ્તાનમાં કેમ ન થઈ શકે ? અમલદારો બીજા કામમાં રોકાયેલા હોય તો ચૂંટણી માટે થોડા નવા અમલદારો રાખો.
- (૩) ધારાસભામાં જે પક્ષ બહુમતીમાં આવે તેણે સરકાર રચવી જોઈએ. વાઈસરૉયે એમને પોતાની કારોબારી કાઉન્સિલ તરીકે નીમવા જોઈએ.
- (૪) એ વાત ખરી છે કે કાયદા પ્રમાણે અને અત્યારના બંધારણ પ્રમાણે કારોબારી સમિતિ એ પ્રધાનમંડળ ન કહેવાય. પણ બ્રિટિશ સરકાર એવી ખોળાધરી આપે કે ધારાસભાના ચૂંટાયેલા સભ્યોમાંથી નિમાયેલી કારોબારી સમિતિને એ જાણે પ્રધાનમંડળ હોય એમ વાઈસરૉય બધી મહત્ત્વની બાબતમાં ગણશે. એટલે કે રાજા જેમ પ્રધાનમંડળની સલાહ સ્વીકારે છે તેમ વાઈસરૉય પણ આ કારોબારી સમિતિની સલાહ સ્વીકારશે. આમ કરતાં આ પૃથ્વી ઉપરની કઈ ચીજ આપણને રોકી શકે એમ છે ?
- (૧) હુિન્દુસ્તાનના લોકોને ખાતરી આપવી જોઈએ કે હિન્દુસ્તાનને સ્વરાજ આપવાનું આપણું તાત્કાલિક ધ્યેય છે.
ગણાવતા હોય એવા બધા વર્ગોને ગણીએ તો કૉંગ્રેસ જ બિનકૉંગ્રેસી બહુમતીના ભયમાં આવી પડવાનો ખરું જોતાં સંભવ છે.