પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૫૦૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૯૫
યુદ્ધ હિંદુસ્તાનનાં બારણાં ઠોકે છે

હોય તેમને લઈને મારે યુદ્ધમાત્ર સામે ઉપદેશ કરવાના વાણીસ્વાતંત્ર્યને માટે સવિનય ભંગ ચાલુ રાખવો પડશે.
“આ કટોકટીને સમયે જેમની સેવાની, તેમના પોતાના પ્રદેશમાં પ્રજાને ધીરજ આપવાના અને મદદ કરવાના કામ માટે જરૂર હશે તેમને હું સવિનય ભંગને માટે પસંદ નહીં કરું.”

રાજેન્દ્રબાબુ તથા બીજા કેટલાક સભ્યો તો પૂનાની મહાસમિતિના (૧૯૪૦ ના જુલાઈની) ઠરાવની વિરુદ્ધ હતા. એટલે સ્વાભાવિક રીતે જ મુંબઈ મહાસમિતિના ઠરાવના અર્થની વિશેષ ચોખવટ થઈ એટલે તેઓ એ ઠરાવની પણ વિરુદ્ધ થયા. સરદાર જોકે પૂના મહાસમિતિના ઠરાવના એક આગેવાન પુરસ્કર્તા હતા, પણ હવે તેમના વિચારમાં ફેરફાર થયો હયો. તેઓ ચોખેચોખ્ખું કહેતા કે, એક વાર ગાંધીજીનો સાથ છોડ્યો પણ ફરી હવે બીજે માર્ગે જવું નથી. એટલે બારડોલીનો ઠરાવ પસાર થઈ ગયા પછી તેમણે રાજેન્દ્રબાબુએ, કૃપાલાનીજીએ અને ડૉ. પ્રફુલ્લ ઘોષે એક સંયુક્ત નિવેદન બહાર પાડીને મહાસમિતિના સભ્યોને અપીલ કરી કે, આવતી મહાસમિતિની બેઠક વખતે દરેક સભ્યે સ્વતંત્ર રીતે પોતાની વિવેક બુદ્ધિ વાપરીને મત આપવો.

કારોબારી સમિતિની બેઠક પૂરી થયા પછી તરત જ સરદારે ગુજરાત પ્રાંતિક સમિતિની બેઠક બારડોલીમાં બોલાવી. પ્રાંતિક સમિતિના સભ્યો આગળ આ ઠરાવ વિષે બોલતાં સરદારે ગાંધીજીને ખાસ વિનંતી કરી. એ બેઠકમાં રાજેન્દ્રબાબુ, કૃપાલાનીજી વગેરે પણ હાજર હતા. ગાંધીજીએ પ્રથમ તો સભ્યોને પૂછયું કે, “તમે બારડોલીના ઠરાવનો અર્થ પૂરેપૂરો સમજ્યા છો ?” ઘણાએ હાથ ઊંચા ન કર્યા. ગાંધીજી કહે,

“તો હું એ તમને ટૂંકમાં સમજાવું. એ ઠરાવનો અર્થ એ છે કે લડાઈ પછી પૂર્ણ સ્વરાજ આપવામાં આવશે એવી ખેાળાધરી સરકાર આપે તો કૉંગ્રેસ આ સલ્તનતને જીવતી રાખવામાં મદદ કરે. એ સોદો પાકો થઈ ગયો છે એવું નથી. માત્ર શરત ૨જૂ કરવામાં આવી છે. પણ મારે એવો સોદો જ કરવો ન હોય તો મારે એ પ્રમાણે સાફ કહી દેવું જોઈએ. તમે યુદ્ધમાં પૂરો સાથ આપવાનું કબૂલ કરશો તો હિંદુસ્તાનને લડાઈ પછી પૂર્ણ સ્વરાજ મળશે. અંગ્રેજો તે પછી હિન્દુસ્તાનમાં રહેશે તો તમારી મહેરબાનીની રાહે રહેશે. તમારી લડાઈખાતાનો પ્રધાન જીત મળતાં સુધી લડાઈ ચલાવે તો તમે લડાઈ દરમ્યાન પણ તમારો કારભાર ચલાવી શકશો. આવી શરતો સ્વીકારવાનું તમને ઠીક લાગતું હોય તો તમારે બારડોલીના ઠરાવને મંજૂર રાખવો જોઈએ. એ લાલચ ઘણી મોટી છે એમાં શંકા નથી. એને ખાતર તમે કૉંગ્રેસની નીતિને ઉલટાવવા અને સ્વરાજ ખરીદવા અને તેની કિંમત તરીકે અહિંસાને જતી કરવા તૈયાર હો તો તમારે આ ઠરાવને મંજૂર રાખવો જોઈએ. આપણા