પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૫૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૦૨
સરદાર વલ્લભભાઈ

“હિન્દી વજીર જેવો નાગો માણસ આજ સુધી કોઈ દીઠો નથી. એ દાઝ્યા ઉપર ડામ દે છે. વિનાશનો વખત આવ્યો છે ત્યારે માણસને એના જેવું બોલવાની બુદ્ધિ સૂઝે છે. અમે સિંગાપુરનું જાનના જોખમે રક્ષણ કરીશું એમ કહેતા હતા. હિન્દ વિષે પણ એમ જ કહે છે. પણ કેટલાકને લાગે છે કે, બીજાઓનો વારો આવ્યો તેમ આપણોચ આવશે. ત્યારે શું કરીશું ?”

“અમે તો પૂનામાં બે વરસ પર એને કહ્યું હતું કે, આ લડાઈ આપણી પોતાની છે એમ પ્રજાને લાગે એવું કરો. તમારી અને અમારી વસમી વખત આવવાની છે. માટે રાષ્ટ્રીય લશ્કર કરવા દો. પણ એ વાત એણે ન સાંભળી. એણે તો કહ્યું કે, અમારી નૈતિક જવાબદારી છે. નાની નાની કોમોની જવાબદારી અમારે માથે છે. બધી દુનિયાની જવાબદારીનો ઠેકો એણે તો લીધો છે. આજે હવે ઈંગ્લંડથી વાટાઘાટ કરવા માણસને મોકલે છે.”

૩૩
ક્રિપ્સ વિષ્ટિ

યુદ્ધ જેમ જેમ વધારે ફેલાતું જતું હતું અને વિશેષ તીવ્ર થતું જતું હતું તેમ અમેરિકન પ્રજાનું તેમ જ અમેરિકન પ્રમુખનું બ્રિટિશ વડા પ્રધાન મિ. ચર્ચિલ ઉપર બહુ દબાણ થતું હતું કે, આ કટોકટીને વખતે તમારે હિંદુસ્તાનનું, ખાસ કરીને કૉંગ્રેસનું દિલ મેળવી લેવું જોઈએ. પણ આવી સલાહને મિ. ચર્ચિલ બિલકુલ ગાંઠતા નહોતા. અમેરિકાને તેઓ કહેતા કે એ અમારી આંતરિક બાબત છે. વળી હિંદુસ્તાનમાંથી ભાડૂતી માણસો તેમને જોઈએ તેટલા મળતા હતા અને નવી નોટો છાપી છાપીને હિંદુસ્તાનમાંથી જેટલો જોઈએ તેટલો માલ ઘસડી જવામાં તેમને કોઈ રોકે તેમ નહોતું. પણ આ લડાઈમાં ઇંગ્લંડને અમેરિકાની ભારે મોટી ઓથ હતી. એટલે તેને ખુશ કરવા તા. ૧૧મી માર્ચે મિ. ચર્ચિલે આમની સભામાં જાહેર કર્યું કે, બ્રિટનના યુદ્ધ પ્રધાનમંડળે નક્કી કર્યું છે કે હિંદુસ્તાન સાથે ન્યાયી અને છેવટનું સમાધાન કરવા માટે તેની આગળ અમુક દરખાસ્તો રજૂ કરવી અને તે હિંદુસ્તાન પાસે સ્વીકારાવવા બ્રિટિશ પ્રધાનમંડળના એક આગેવાન સભ્ય સર સ્ટેફર્ડ ક્રિપ્સને હિંદુસ્તાન મોકલવા.

સર સ્ટેફર્ડ ક્રિપ્સ હિંદુસ્તાનના એક મિત્ર તરીકે જાણીતા હતા. પાર્લમેન્ટમાં તેઓ હિંદુસ્તાનનો પક્ષ લેતા એ આપણે પહેલાં જોઈ ગયા છીએ. વળી ૫ં. જવાહરલાલના તેઓ અંગત મિત્ર હતા. આ બધાં કારણોને