પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૫૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૫૧૫
હિંદ છોડીને ચાલ્યા જાઓ

હોઈએ તેમ છતાં આપણા દેશનો કોઈ ભાગ જપાનીઓના હાથમાં આવી પડે તો ત્યાંના પાકોનો અથવા તો જળાશયોનો આપણે નાશ ન કરીએ. એટલા જ માટે કે આપણો પ્રયત્ન તો એ પાછાં મેળવવાનો રહેશે. પરંતુ યુદ્ધસામગ્રીને નાશ કરવો એ જુદી વસ્તુ છે. અમુક સંજોગોમાં તેનો નાશ કરવો એ લશ્કરી દૃષ્ટિએ આવશ્યક હોય. પરંતુ જે વસ્તુઓ જનતાની માલિકીની છે અથવા જે વસ્તુઓ જનતાને ઉપયોગની છે તેનો નાશ કરવો એ કદી કૉંગ્રેસની નીતિ હોઈ શકે નહીંં.

"જપાની લશ્કર સાથે અસહકાર કરવાનું કામ સ્વાભાવિક રીતે જ પ્રમાણમાં થોડા લોકોને ભાગે આવશે. વળી એ અસહકાર સંપૂર્ણ અને સાચા દિલનો હશે તો જ સફળ થશે. પરંતુ સ્વરાજ્યની સાચી રચના તો એમાં રહેલી છે કે હિંદુસ્તાનના કરોડો લોકો પૂરા દિલથી રચનાત્મક કાર્ચ કરવા મંડી પડે. એના વિના આખી પ્રજા તેની દીર્ધ તન્દ્રામાંથી જાગ્રત થઈ શકવાની નથી. અંગ્રેજ લોકો અહીં રહે કે ન રહે, આ૫ણી સદાસર્વદાની ફરજ તો એ જ છે કે આપણા દેશમાંથી બેકારીને નાબૂદ કરી નાખીએ, શ્રીમંત અને ગરીબ વચ્ચે પડેલી ખાઈને પૂરી નાખીએ, કોમી વેરઝેરને દેશવટો દઇએ, અસ્પૃશ્યતારૂપી રાક્ષસીનો સંહાર કરીએ, ચોર લુંટારુઓને સુધારીએ અને લોકોને તેમના ઉપદ્રવમાંથી બચાવીએ. આ જાતના રાષ્ટ્રવિધાચક કાર્યમાં કરોડો લોકો જીવતોજાગતો રસ લેતા ન થાય તો સ્વતંત્રતા એક સ્વપ્ન જ રહે અને અહિંસાથી કે હિંસાથી આપણે તે પ્રાપ્ત કરી શકીએ નહીંં.

પરદેશી સિપાઈઓ

"આ મહાસમિતિનો એ અભિપ્રાય છે કે હિંદુસ્તાનમાં પરદેશી સિપાઈઓને દાખલ કરવા તે હિંદુસ્તાનના હિતને નુકસાનકર્તા અને દેશની સ્વતંત્રતાને ભયરૂપ છે. તેથી બ્રિટિશ સરકારને એ અપીલ કરે છે કે દેશમાંથી પરદેશી લશ્કરોને ખસેડી લેવામાં આવે અને હવે પછી બીજાં લાવવામાં ન આવે. હિંદુસ્તાનમાં અખૂટ માનવશક્તિ પડેલી છે છતાં પરદેશી લશ્કરને અહીં લાવવાં એ ભારે શરમભરેલું છે. બ્રિટિશ સામ્રાજ્યની અનીતિમયતાનો એ એક વધુ પુરાવો છે.”

સેવાગ્રામ, ૨૩-૪-'૪૨

રાજેન્દ્રબાબુ પોતાની જીવનકથામાં લખે છે કે,

"ગાંધીજીના ખરડા ઉપર કારોબારી સમિતિમાં ખૂબ વાદવિવાદ ચાલ્યો. એમાં જણાઈ આવ્યું કે સભ્યોમાં બે મત છે. એક મત એની તરફેણમાં હતો. બીજો મત એટલે સુધી જવા તૈયાર ન હોઈ એ ઠરાવને સ્વીકારતો નહોતો. એમાં સુધારો કરવાનો ખૂબ પ્રયત્ન કરવામાં આવ્યો, પણ એ સફળ ન થયો. આખરે સં૫ ટકાવી રાખવા સારુ અમે અમારો વિરોધ પડતા મૂક્યો અને બીજાઓને જે ઉચિત લાગ્યું તે અમે સ્વીકારી લીધું. આ કારોબારી સમિતિની વાત થઈ. દેશનું વલણ ગાંધીજી તરફ વધારે હતું. જો ગાંધીજીનો એ ખરડો મહાસમિતિમાં રજૂ કરવામાં આવ્યો હોત તો કદાચ તે મંજૂર થઈ જાત. પણ તેથી એકબીજા સાથેના મતભેદ પણ ખૂબ ઉધાડા પડત. આપણે આપણી તરફથી કશું