પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૫૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૫૨૭
નવમી ઑગસ્ટ

એમનું જ કામ છે. જો કૉંગ્રેસને દેશનો સાથ જ નથી, તો પછી તમને એની આટલી બધી ભડક શા માટે લાગે છે? જળમાં, સ્થળમાં, વસ્તીમાં, વેરાનમાં બધે એને જ કેમ જુઓ છો ? ”


“ આપણે તો ત્રણ ત્રણ વરસ રાહ જોઈ. ગાંધીજીએ કૉંગ્રેસને કહ્યું કે, બ્રિટન મુસીબતમાં આવી પડયું છે તે વખતે તેને મૂંઝવણ થાય એવું કશું ન કરવું, તેમના યુદ્ધપ્રયાસોમાં કશી પણ અડચણ ન ઊભી થાય તે માટે ગાંધીજીએ જીવ તોડી તોડીને કાળજી રાખ્યા કરી. પરંતુ હવે એમની પણ ધીરજ ખૂટી છે. યુદ્ધ હિંદનાં બારણાં ખખડાવી રહ્યું છે. હિંદનું રક્ષણ કરવાનો દાવો બ્રિટિશરો કરે છે, પરંતુ બ્રહ્મદેશને પણ તેઓ આવું જ કહેતા હતા, એ આપણે ક્યાં નથી જાણતા ? તેઓ ગમે તેટલો દાવો કરે પણ આખી હિદી પ્રજાના દિલોજોનીભર્યા સહકાર વગર બ્રિટિશરો હિદનો કશોય બચાવ કરી શકે તેમ નથી. બ્રિટન તો બ્રહ્મદેશનો બચાવ કરવા પણ મેદાનમાં ક્યાં નહોતું પડ્યું ? પણ એ તો હાથમાંથી ચાલ્યું ગયું. તેવી રીતે હિંદ પણ જપાનીઓના હાથમાં ચાલ્યું ન જાય તે માટે જ આપણી આ લડત છે.

"લડાઈ પૂરી થયે આપણને આઝાદી આપવાનું વચન આપવામાં આવે છે. પણ આપણે એ વચન માનવું શી રીતે ? લડાઈને અંતે હિંદને આઝાદી આપવા સારુ તમે હસો કે કેમ, અથવા તો એવી આઝાદી આપવાની તાકાત તમારામાં રહી હશે કે કેમ એની શી ખાતરી છે ? લડાઈને અંતે હિંદ જ બીજાના હાથમાં જઈ પડે તો પછી બ્રિટન તેને આઝાદી આપવા ક્યાંથી આવશે ? પછી તે વખતે આપણે ચર્ચિલ સાહેબને ક્યાં શોધવા જવા ? અને માનો કે તમે જીત્યા. પણ અત્યારે જ્યારે તમારે કંઠે પ્રાણ છે ત્યારે આટલા ચાળા કરો છો તો જીત્યા પછી હિંદ તમારે ગળેથી શી રીતે છૂટવાનું હતું ? શું આટલું અમે નથી સમજતા ? ”



"અમારી દલીલ એક જ છે. હિંદની ચાલીસ કરોડની પ્રજા આવી આફતની વેળાએ નિષ્ક્રિય બેસી રહે તો દુનિયાભરમાં અમારી નિંદા થાય. અમારે એ નથી જોઈતું. અમારો બચાવ બ્રિટન કરી શકશે એ ઇતબાર એના ઉપર હવે અમને રહ્યો નથી. એટલે આપણે જ આપણો બચાવ કરવા તૈયાર થવું છે, અને આક્રમણકારોનો સામનો કરીને મિત્રરાજ્યોને પણ વિજય અપાવવો છે. આટલા સારુ હિંદીઓને સત્તા આપવાની અમે માગણી કરીએ છીએ. પણ આપણે આમ કહીએ છીએ ત્યારે સરકાર ગુસ્સે થાય છે. ભલે થાચ. આપણે લાચાર છીએ.

"કૉંગ્રેસ જપાનીઓને નોતરવા માગે છે એવુ તહોમત અમારી સામે ફેલાવવામાં આવ્યું છે. આ હડહડતું જૂઠાણું વસ્તુસ્થિતિને સાવ અવળા રૂપમાં ૨જૂ કરે છે. જપાનીઓને હિંદમાં કોઈ ચાહે છે એ મુદ્દલ સાચી વાત નથી. પણ દરેક હિદીના દિલમાં જે વાત છે કે તે એ છે કે, તમે હવે અહીંં ન