પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૫૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૫૩૧
નવમી ઑગસ્ટ

 આધુનિક સામ્રાજ્યવાદના સચોટ ઉદાહરણ રૂ૫ બનેલા હિમ્દની સ્થિતિ ઉપરથી, આખા પ્રશ્નની આકરામાં આકરી કસોટી થવાની છે. કારણ કે હિંદની મુક્તિ પરથી જ બ્રિટન અને સંયુક્ત રાજ્યોનો ન્યાય તોળારો અને તે વડે જ એશિયા અને આફ્રિકાની પ્રજામાં આશા અને ઉત્સાહ પ્રેરાશે.

“ આ રીતે આ દેશમાંથી બ્રિટિશ હુકૂમતનો અંત આવે એ એક અત્યંત અગત્યનો અને તેટલી જ તાકીદનો મુદ્દો છે. તેના ઉપર યુદ્ધના ભાવિનો તેમ જ સ્વતંત્રતા અને લોકસત્તાવાદની સફળતાનો આધાર રહેલો છે. પોતાની સ્વતંત્રતા માટેના, તેમ જ નાઝીવાદ, ફાસીવાદ અને સામ્રાજ્યવાદના આક્રમણ સામેના યુદ્ધમાં પોતાની સર્વ સાધનસંપત્તિ વાપરીને સ્વતંત્ર હિંદ એ સફળતાને નિશ્ચિત કરશે. હિંદની મુક્તિની અસર માત્ર યુદ્ધના ભાવિ ઉપર મોટા પ્રમાણમાં જણાશે એટલું જ નહીં, પણ તેનાથી સર્વ પરાધીન અને દબાયેલી માનવતા સંયુક્ત પ્રજાઓને પક્ષે આવશે, હિંદ તેમનું મિત્ર બનશે અને તેમને દુનિયાની નૈતિક અને આધ્યાત્મિક આગેવાની પ્રાપ્ત થશે. બંધનમાં રહેલું હિંદ બ્રિટિશ સામ્રાજ્યવાદના પ્રતીક તરીકે રહેશે અને એ સામ્રાજ્યવાદના મેલા ડાધની અસર બધાં મિત્રરાજ્યોને પહોંચશે.

“ તેથી આજના ભયમાંથી હિદની સ્વતંત્રતાની અને તેના પરની બ્રિટિશ હકુમતના અંતની જરૂર ઊભી થાય છે. ભવિષ્યમાં પાળવાનાં કોઈ વચનો કે તેને માટેની બાંહેધરીઓથી આજની પરિસ્થિતિ પર કશી અસર થવાની નથી કે એ ભયનો ઉપાય થઈ શકવાનો નથી. આમજનતાના હૃદય ઉપર તેની જેવી જોઈએ તેવી ધારેલી અસર નહીં થાય. યુદ્ધના સ્વરૂપને તત્કાળ પલટી નાખવાને માટે જરૂરી એવાં કરોડો લોકોનાં તાકાત અને ઉત્સાહ સ્વાતંત્ર્યની ઉષ્માથી જ પ્રગટી શકે.

"તેથી બ્રિટિશ સત્તાએ હિંદમાંથી ખસી જવાની માગણીનો પૂરેપૂરા ભારપૂર્વક મહાસમિતિ પુનરુચાર કરે છે. હિંદની સ્વતંત્રતાની જાહેરાત થતાં જ એક કામચલાઉ સરકાર રચાશે, અને મુક્તિ માટેની લડતના સંયુક્ત સાહસમાં જે હાડમારી અને કષ્ટો પડે તે સહેવામાં સ્વતંત્ર હિદ મિત્રરાજ્યોનું સાથી બનશે. આ કામચલાઉ સરકાર દેશમાં હસ્તી ધરાવતા મુખ્ય મુખ્ય પક્ષો અને સમૂહાના સહકારથી જ સ્થપાઈ શકે. એ રીતે એ હિંદની પ્રજાના સર્વ મુખ્ય મુખ્ય વિભાગોનું પ્રતિનિધિત્વ ધરાવતી મિશ્ર સરકાર હશે. પોતાની પાસે હશે તે બધા અહિંસક સામર્થ્યથી તેમ જ સશસ્ત્ર સૈન્યથી મિત્રરાજ્યોની સાથે રહીને આક્રમણનો સામનો કરી હિંદનું રક્ષણ કરવાનું, અને સર્વ સત્તા અને અધિકારના જે તત્ત્વત: માલિક છે તેવા, ખેતરોમાં, કારખાનાંમાં અને અન્ય સ્થળોએ કામ કરતા મજૂરોનાં કલ્યાણ અને પ્રગતિને ઉત્તેજન આપવાનું, એ બધાં આ સરકારનાં પ્રારંભનાં કાર્યો હશે.

"પ્રજાના સર્વ વિભાગને સ્વીકાર્ય થાય એવું, હિંદુસ્તાનના રાજવહીવટ માટેનું બંધારણ ઘડવાને માટે એક લોકપ્રતિનિધિ સભાની ચેાજના આ કામચલાઉ સરકાર તૈયાર કરશે. કૉંગ્રેસના અભિપ્રાય પ્રમાણે આ બંધારણ સમવાયતંત્રના સ્વરૂપનું હશે. એ સમવાયતંત્રના ધટકોને બને તેટલા વધારે સ્વશાસનના