પૃષ્ઠ:SasuVahuniLadhai.pdf/૧૦૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
सासुवहुनी लढाई
૯૧
 

એટલું આવે કે માય નહીં.

બુઢા રમાનંદ પંડ્યા બહાર ગયા હતા તે આ વાત સાંભળી દોડતા ઘેર આવ્યા, ને અનપુણાને પુછ્યું કે એ શું હતું. ડોશી કહે હતી તમારી મોકાણ. તમને કાંઈ ઘરની ખબર છે; ભાંગ મસ પીવી ને છીંકણીના ખોભા નાકમાં ભરવા એટલું જાણો છો. આ તમારો વીજીઓ મને મારવા મંડ્યો, એ તે દીકરો કે શત્રુ, એના કરતાં પથર જણ્યો હોત તો ઠીક; આ સંખણી વહુઓએ મને સેંકડો લોક દેખતાં ગાળે ગાળે ધોઈ નાંખી, એથી હું વાંઝણી હોત કે મારાં છઇ કુંવારા હોત તો સારૂં. આ તમારામાં કાંઈ માલ નહીં ત્યારે જ મારે માથે આટલાં દુ:ખ પડે છે, ને ઘરની લાજ જાય છે કેની. બળી તમારી અકલ. મને તો ભગવાન મોત આપે તો સારું. રમાનંદ બોલવા જાય કે કમળા કહે બાપા તમે તમારે ઠામે જઈ બેસો. મા બળી રહેલી છે તેને વધારે બાળો ના, તમારામાં ઢંગ હોય તો ઘરની આવી ફજેતી થાય. બીજા સગાં પણ સમાધાન કરવાને વચમાં બોલતાં જાય. એવામાં બારણે ચંદાની મા ને માશી, બે જુંગા જેવા ભાઈ, ને મામા, ચંદાની વારે ચઢી લડવા આવ્યા. સુંદરની મદદે આવે એવું કોઈ નહતું.

રમાનંદ, વિજીઆનંદ, હરિનંદ, અનપુણા, કમળા, ને જે બીજાં સગાં ઘરમાં હતાં તે બધાં બહાર ઓટલે આવ્યાં, ને સામસામી ગાળો ચાલી. લોક જોવા મળી ગયા. વરવાઢ એટલા જોરથી ચાલી કે કાને પડ્યું સંભળાય નહીં. ગાળાગાળી પરથી મારામારી પર આવ્યા. બીચારા રમાનંદની મોટી ડુંડમાં વગર લેવે દેવચંદાના મામાએ મુક્કીઓ લગાવી; તે બાપડાનુ ધોતીયું નિકળી ગયું, ને ફેં ફેં થઈ ગયો. હરિનંદને ચંદાના ભાઈએ ખૂબ ઠોક્યો, ને વીજીઆનંદ પણ કોરો રહ્યો નહીં. બઈરાં પણ એક એકના લટીઆં પીખવાની તઈઆરી પર હતાં, એટલામાં લોકે વચમાં પડી બંને પક્ષવાળાને છુટા કર્યા. ચંદાની માએ ખુબ કુટ્યું, ને કહે મારે મારી દીકરીને એને ઘેર રહેવા દેવી નથી. જમાઈ મુવો ને એ રાંડી એમ ગણી મારી દીકરીને હું પાળીશ. વીજીઆનંદ કહે જો આજ એને લઈ જાય તો જીવતાં સુધી ફરીને મારા ઘરમાં ના ઘાલું. બંને પક્ષના સમાન મિત્રોએ મળી ચંદાના પીએરિયાંને સમજાવ્યાં કે દીકરી બાપને ઘેર સોમણ રૂની તળાઈએ સુવે ને પકવાન જમે તેનાં કરતાં સાસરે ભોંયે સુવે ને સુકા રોટલા ખાય તે સારું હોય સંસાર છે, ટંટોએ થાય; વગેરે ઘણીક રીતે વિનવી પાછાં ઘેર મોકલ્યાં.

ચંદા ને સુંદરે રાત્રે વાળું કર્યું નહીં કમળાએ દશમી (દુધે બાંધેલી રોટલી)