પૃષ્ઠ:SasuVahuniLadhai.pdf/૧૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
सासुवहुनी लढाई
૧૨૫
 

કોઈ મોગલાઈ ને ગંભીરાઈ ભુલી ગયા ને ખડખડાટ હસી પડ્યા.

સોદાગરે પછી પાદશાહને હકીગત જાહેર કરી કે મારો નાશ કરવાને એ ત્રણે સખસોએ આપની રૂબરૂ હીકમત લડાવી, ને જેવા જનાવર દુનીઆમાં છે જ નહીં તેવાં લાવી આપવાનો મારા પર હુકમ કરાવ્યો. મારો બચાવ કરવાને સારૂ મારે આ તદબીર કરવી પડી. એ આદમીઓ શી રીતે સાણસામાં આવ્યા તે બધી વાત કહી ત્યારે પાદશાહ તેના ઉપર ઘણો રાજી થયો, તેને પોતાનો મુખ્ય દીવાન કર્યો, જાગીરો આપી, ને પેલા ત્રણને સજા કરી દેશપાર કર્યા."

એ વાત સાંભળી સુંદરનું મન રંજન થયું. પઠાણ કહે કાલે હું એથી સરસ વાત કહીશ.