પૃષ્ઠ:Sathina Sahityanu Digdarshan (Eng. Literature of sixties) by Dahyabhai Derasari.pdf/૧૮૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૨
સાઠીનૂં વાઙ્‌ગમય.

 માથે દુધનો તાંબડો લેઈને રસ્તે ચાલતાં,

'શીરપર ટબકરીનો ભાર, કાલી હબસન્‌નો અવતાર, ખાવાડોરે છે' ગાતા સુરતના ઘાંચીઓ 'રાણીના બાગના ગરબાની' યાદ આપે છે.

આમ અમુક જગાના વર્ણનને માટે પણ કોઈ કોઈ કવિતા (!) સ્ફુરી આવી છે. અમદાવાદના દરવાજા, બારીયા વર્ણન, કડીનો ગરબો, વડોદરાનો ગરબો, ડાકોરનું વર્ણન, આ પ્રકારની ચોપડીઓ છે. 'એના દરવાજા ઉપર બારી, વિસનગર શહેરની શોભા સારી' જણાવતી વિસનગરના ગરબાની ચોપડીએ તો ખૂબ જ કરી છે !

આ બધી ચોપડીઓમાં જોડકણાં સિવાય કવિતા જેવું કશુંએ હતું નથી. જે બનાવને લીધે એમનો જન્મ થયો હોય તે ભૂલી જવાય એટલે આ ચોપડીઓ પણ ભૂલી જવાય છે.

રા. દામોદરની 'સસ્તી સુખડી' અને આ લખનારનું 'હરિધર્મશતક' ધર્મના પંથોના પરિહાસને માટે લખાયલાં નાનાં કાવ્યો છે.

(૪) ગીત સંગ્રહ:—નાગર સ્ત્રીઓમાં ગવાતાં ગીતોનો સંગ્રહ કવિ નર્મદે સન ૧૮૭૦ માં છપાવ્યો હતો. અમદાવાદમાં સૌ. બાળાબહેને અમદાવાદની નાગરસ્ત્રીઓમાં ગવાતાં ગીતનો સંગ્રહ સન ૧૮૭ર માં પ્રગટ કર્યો હતો. આ સન્નારીએ જનોઈ, વિવાહ અને સિમન્ત વખતે નાગરી નાતના આપ લેના રિવાજ બીજી આવૃત્તિમાં ઉમેરીને પોતાના પુસ્તકની ઉપયોગિતામાં વધારો કર્યો છે. ખંભાતના હાલના દિવાન રા. માધવરામનાં પુત્રિ સૌ. અતિલક્ષ્મીએ સુરત જીલ્લામાં ઔદિચ્ય બ્રાહાણોમાં ગવાતાં ગીતોનો સારો સંગ્રહ બહાર પાડ્યો છે. સાઠેદરા નાગરની નાતમાં ગવાતાં ગીત અને ગાવાની રીત ગુજરાતમાં સર્વત્ર વખાણાય છે. પોતાની 'જનાવરની જાન’ માં લગ્ન પ્રસંગે ગવાતાં ગીતને માટે સ્વ. નવલરામ કહે છે કે ‘કોઈ ભેં ભેં, કોઈ બેં બેં કરે, કોઈ ભૂંકતી ભૂંડું' અને 'સાતે સુરને છૂંદે.' આ આક્ષેપ એ નાતનાં ગીત અને ગાવાની રીતને બીલકુલ લાગુ પડતો નથી. આવાં સારાં ગીતોનો સંગ્રહ અમદાવાદના વકીલ રા. નવનીતરાયનાં પત્ની સ્વ. કુંદનગૌરીએ કરેલો એમના દિયેર રા. ઇંદ્રવદને પ્રસિદ્ધ કર્યો છે.