પૃષ્ઠ:Sathina Sahityanu Digdarshan (Eng. Literature of sixties) by Dahyabhai Derasari.pdf/૨૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯૭
ઇતિહાસ અને ભૂગોળ.

સમય દરમ્યાન ઈતિહાસનાં ટાંચણ, સાલવારી, સાર, સંક્ષેપ, કવિતારૂપ ઈતિહાસ એવી નમાલી ચોપડીઓ તો ઘણી નીકળી છે.

ગુજરાતના ઈતિહાસ, સૌરાષ્ટ્રનો ઈતિહાસ, અમદાવાદના મુસલમાન પાદશાહોનો ઈતિહાસ વગેરે પુસ્તકો પણ થયાં છે. સ્વ. એદલજી ડોસાભાઇના ઈતિહાસનાં વખાણ મી. ફોર્બ્સે ગુજરાત વર્નાક્યુલર સોસાઈટીના પોતાના રીપોર્ટમાં કર્યાનું આગળ કહી ગયા છીએ.

ઈંગ્લાંડના ઈતિહાસનાં બે-ત્રણ પુસ્તકો ભાષામાં ઉતર્યા છે. એક પારસી ગૃહસ્થ છેક સન. ૧૮૩૯ માં તેમ જ સ્વ. મોહનલાલ રણછોડદાસે ડેવીસના ઇંગ્લંડના ઈતિહાસનાં ભાષાંતર કર્યો છે. સ્વ. મહાપતરામે સ્મીથના ઈતિહાસની છાયારૂપ ઇંગ્લંડના ઈતિહાસનું મોટું પુસ્તક લખ્યું છે. સ્વ.નવલરામે ગ્રીનના ઇન્ગ્રેજ લોકના ઈતિહાસનું અવલંબન લઈ તેમ જ બીજા ઘણા ઈતિહાસના ગ્રંથોને આધારે પોતાનો 'અંગ્રેજ લોકનો સંક્ષિપ્ત ઇતિહાસ' લખ્યો છે. આ પુસ્તક કકડે કકડે શાળાપત્રમાં છપાયું છે. એની બાની ઘણી જ રસભરી અને મોહક છે. વિષયની ચર્ચા એવી મનોરંજક રીતીયે કરી છે કે પૂરી વાંચવાની આપણને લેહ જ લાગે. પોતાના વ્યવસાયને લીધે આ ગ્રંથ ત્વરાથી લખાતો નહોતો. મહિનાના મહિનાને આંતરે શાળાપત્રમાં દેખા દેતો. અમને સમરણ છે કે એક વખત કોલેજની ટપાલ જોતાં એક નનામું પોસ્ટકાર્ડ અમને મળ્યું હતું. એમાં લખનારે સ્વ. નવલરામની વિનતિ કરી હતી કે એમણે એ ઈતિહાસ જલદી પૂરો કરવો કે વખતે એમને રાજકદૈવક થાય તો ગ્રંથ અધુરો ન રહે. એમનું મન ન દુઃખાય માટે આ કાર્ડ આપવું કે નહિ એવો લોવિલંબ કરીને આખરે કાંઈક વાત છેડીને અમે એમને આપ્યો હતો. વાંચીને એ મહાનુભાવે કહ્યું હતું કે ખરી વાત છે, મારાથી એ ઈતિહાસપર લક્ષ અપાયું નથી, પણ હવે જલ્દી પૂરો કરીશ. દૈવઈચ્છા બળવાન છે. થોડા માસ પછી એમને અસાધ્ય મંદવાડ આવ્યો અને એમણે પરલોકગમન કર્યું, અને ગુજરાતીમાં એક અપૂર્વ ગ્રંથ પૂર્ણ થતાં રહી ગયો.

રોમના રાજ્યનો ઈતિહાસ એવું નાનું પુસ્તક સ્વ. છોટાલાલ