પૃષ્ઠ:Sathina Sahityanu Digdarshan (Eng. Literature of sixties) by Dahyabhai Derasari.pdf/૨૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૧૯
પિંગળ–અલંકાર–વગેરે.

છકલ

|
દાદા
કેવળ °
ચિત્ર નારી–સ્મુહી–માણવકાક્રીડ
સપ્તકલ. ||
દાદાલદા
કેવળ હરિગીત.
ચિત્ર સંગતિકા–ગીતક.
||
દાલદાદા
કેવળ રૂપમાલ
ચિત્ર °
||
દાદાદાલ
કેવળ ઉદ્ધોર.
ચિત્ર °

ઉપરના પત્રકમાં ગણાવેલા છંદોના ચરણમાં કોઈએ ઠેકાણે યતિનથી, અર્થાત્ બંધ અખંડ છે. ગાથા, દોહા, સોરઠી, ઉડિયાળા, પ્લવંગમ, રોલા, મરહઠ્ઠા, લીલાવતી, પદ્માવતી, ત્રિભંગી અને મદનગ્રહા છંદ સખંડ માત્રાબંધના દૃષ્ટાંત છે.

અતિ પ્રાચીન અક્ષરબંધ અને પ્રાચીન રૂપબંધ भारत रामायणના રૂપગર્ભ અક્ષરબંધથી સંધાય છે અને પ્રાચીન રૂપબંધ અને અર્વાચીન માત્રાબંધ માત્રાગર્ભ રૂપબંધનથી સંકળાય છે. આ જોડી દેનાર આંકડો તે. વૈતાલીય છંદ છે, જેની અપરવકત્ર, પુષ્પિતાગ્રા, સુંદરી અને માલ્યભારા. ચિત્રાત્મક વિકૃતિઓ જ છે.

આ ટુંકા નિબંધમાં સંવાદ, યતિ, પ્રકૃતિવિકૃતિ, સંવાદનું બદલાવું છંદની સંસૃષ્ટિ, કુંડળી, ચમક, પ્રાસ, પ્લુતનો ઉપયોગ, વગેરે અનેક ઉપયોગી બાબતો વિશે સ્વતંત્રજ લખાણ છે. વળી તેમાં પિંગળ હિંગળના ઘોળ બ્હારના પ્રયત્નબંધ વિશે અને એ ઘોળમાં ઘુસી ગયેલા પદ્યગણિત વિશે. પણ મુદ્દાની ચર્ચા છે. ઉપરાંત અક્ષરબંધના સંબંધમાં બે એક કીમતી. સૂચનાઓ છે. આ અને બીજી બહુ બહુ બાબતોની નોંધ અહીં લેવી અશક્ય છે. જીજ્ઞાસુએ મૂળ નિબંધ વિચારી જવો એવી વિનતિ માત્ર કરી વિરામીશું.

આ વિષય સમાપ્ત કરતાં આ સાઠીમાં ગૂજરાતી ભાષામાં બીજી