પૃષ્ઠ:Sathina Sahityanu Digdarshan (Eng. Literature of sixties) by Dahyabhai Derasari.pdf/૨૭૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૫૪
સાઠીનૂં વાઙ્ગમય.

 “ધજા અને છત્રમાંજ દંડ હતો. હાથીઓના કાનોમાંજ કંપ હતો. ગહન શાસ્ત્રોમાંજ ચિંતા હતી. દંડ, કંપ અને ચિંતા બીજે હતાંજ નહિ.”

“મદે કરીને ઉન્મત થયેલા હાથિઓમાંજ મદ જણાતો હતો પણ કોઈ સ્ત્રી યા પુરૂષ મદોન્મત્ત હતા જ નહીં. શુન્યગૃહ તો સોકઠાંની બાજીમાંજ દેખાતું હતું પણ, પ્રજામાં જાળમાર્ગ એટલે કુડકપટનો રસ્તો હતો જ નહિ. ( જોડણી ભાષાંતરકારની રાખી છે. ) ”

આ ભાષાંતરપરથી જણાશે કે મૂળના જેવું રસિક કે ક્રમિક ભાષાંતર કેટલેક સ્થળે થયું નથી. વેપારી જૈન વર્ગો વિશેષ કાળજી રાખે તો પૂર્વેના આચાર્યોની રચનાને વધુ દીપાવી શકે.

(૮) રાજકોટવાળા મિ. પોપટલાલ કેવળચંદ શાહ તરફથી જૈન ધર્મને લગતાં આશરે બારેક નાનાં મોટાં પુસ્તકો બહાર પડ્યાં હશે. તેમાંના સુલભસમાધિ, શ્રી મહાવીર ચરિત્ર, જૈનધર્મ અને જૈન પાઠમાળાના પ્રથમ ભાગ એ વખાણવા લાયક છે પરંતુ અમને એમાં તદ્દન સ્વતંત્ર પુસ્તક જેવું તો એક જૈનમાળાનું લઘુ પુસ્તક જણાયું છે. સુલભસમાધિ વગેરે ગ્રંથો વાંચવા વિચારવા જોગ છે પણ તેને તદ્દન નવિન લેખ કહી શકાય તેમ નથી. જૈનતર્ક સંક્ષેપ, જૈન બારવ્રતની પર્વાલોચના વગેરે હજી તેમના તરફથી પ્રગટ થયા જણાતા નથી. જૈનોમાં યોગ્ય ગ્રંથોને યોગ્ય આશ્રય નથી મળતો તેમ ફરિયાદ છે ને સ્થાનકવાસી જૈનમાં તો તેવી ફરિયાદ વિશેષ છે.

(૯) અમદાવાદવાળા બાલાભાઇ છગનલાલ શાહ તરફથી કેટલાંક જૂનાં જૈન પુસ્તકો પ્રગટ થયાં છે. તેમાં સઝાયમાળા નામની કવિતા, સ્તવનોના સંગ્રહના તેમના ત્રણ ભાગો, તેમની સંગ્રહબુદ્ધિ અને શ્રમને માટે પ્રમોદ ઉપજાવે તેવાં પુસ્તકો છે. તેમની પોતાની લેખણથી એકે સ્વતંત્ર જૈનગ્રંથ લખાયો હોય એમ જણાતું નથી.

(૧૦) અમદાવાદવાળા ડાક્ટર જીવરાજ ઘેલાભાઇ દોશી તરફથી જૈન પુસ્તકોનું સંશોધન કરાવવાનું ને પ્રકટ કરાવવાનું કામ થાય છે.