પૃષ્ઠ:Sathina Sahityanu Digdarshan (Eng. Literature of sixties) by Dahyabhai Derasari.pdf/૨૮૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૬૧
જૈન સાહિત્ય.

 દિક્ષા લે ત્યારે મુનિ, પછી ગણિ, વાચક તથા આચાર્ય એ રીતે ચાર પદ્વીઓ અપાતી જણાય છે.

શ્રી સોમસુંદરસૂરિનો જન્મ સંવત ૧૪૩૦ માં પાલનપુરમાં એક ધનાઢ્ય પોરવાડ જ્ઞાતીના વણિક શેઠને ઘેર થયો હતો. શ્રી જયાનંદ સૂરિ સંવત ૧૪૩૭ માં પાલનપુરમાં પધારેલા તે વખતે સોમકુંવરના સુલક્ષણ જોઈ તેની માગણી તેના બાપ પાસે કરી. માબાપની સંમતિથી સોમકુંવરે સંવત ૧૪૩૭ માં જયાનંદસૂરિ પાસે દિક્ષા લીધી. સોમકુંવર પાંચ વરસની ઉમરે નીશાળે એક બ્રાહ્મણ પડિત પાસે બેઠેલા અને દિક્ષા લીધા પહેલાના બે વરસમાં વ્યાકરણ, છંદ, અલંકાર વગેરે શીખેલા. દિક્ષા લીધા પછી ગુરૂએ તેમને જ્ઞાન સાગરસૂરિ પાસે ભણવા સોંપ્યા.

અમુક અભ્યાસ થયા પછી તેમને ગણિની પદ્વી મળી. સંવત ૧૪૫૦ માં તેમને વાચક પદ્વી મળી તથા સંવત ૧૪૫૭ માં તેમને આચાર્ય પદવી મળી અને ગચ્છપતિ શ્રી દેવસુંદરસૂરિના કાળ પછી એટલે સુમારે સંવત ૧૪૫૮ ના અરસામાં તમામ સંઘની સંમતીથી શ્રી સોમસુંદરસૂરિ ગચ્છના અધિપતિ થયા.

ચુંટણીથી લાયક સાધુને જ નાયક યાને ધર્મના રાજા નીમતા તેનું એક દૃષ્ટાંત આ ગ્રંથમાંથી મળે છે. તપગચ્છના પતિ શ્રી સોમતિલકસૂરિ સંવત ૧૪૨૪ માં દેવગત થયા. તમામ સાધુઓને લાયક શ્રી જયાનંદસૂરિ લાગ્યા તેથી તેમને ગાદી લેવાની વિનંતિ થઈ પણ તેઓ વૃદ્ધ હોવાથી ગાદી લેવાની ના પાડી છતાં સર્વેમાં તેજ વધારે લાયક હોવાથી બીજા કોઈ સાધુએ ગાદી લીધી નહી અને સંવત ૧૪૪૧ માં જયાનંદસૂરિના કાળ સુધી તમામ સાધુઓ જયાનંદસૂરિના હુકમ મુજબ વર્ત્યા અને તેમના કાળ પછી જ સંવત ૧૪૪૨ માં શ્રી દેવસુંદરસૂરિને ગચ્છપતિ નીમ્યા. આ જ જ્ઞાન તથા લાયકાતનું બહુ માન કહેવાય. વગર લાયકીએ માન, પદવી કે ગાદી માટે દોડવાનું આ જમાનામાં જણાય છે તે જ હાલની અવ્યવસ્થાનું કારણ છે.

સૂરિ થયા પછી સોમસુંદરસૂરિએ વડનગર, વીસનગર, ઈડર, પાટણ,