પૃષ્ઠ:Sathina Sahityanu Digdarshan (Eng. Literature of sixties) by Dahyabhai Derasari.pdf/૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮
સાઠીની સાક્ષર પ્રવૃત્તિ.

દ્વિતીયા.

ધાતુનો અર્થ વ્યાપાર તેથી થાય જે ફળનો સંબંધ કરવાને કરતા જે ઉપર ઇછે છે તે કર્મ થયું તે ઉપરથી દ્વિતીયા થાય છે. ઉ. દેવને ભજે છે. એ ઠેકાણે ભજ ધાતુનો અર્થ સેવા તેથી પ્રીતિરૂપ ફલ થાય છે. તેને સંબંધ કર્તા દેવને ઉપર કરવા ચાહે છે. વાસ્તે દેવ શબ્દ કર્મ થયૂં તે ઉપર દ્વિતીયા થાય છે. કેટલાએક ઠેકાણે દ્વિતીયાને અર્થે પ્રથમા થાય છે. અથવા દ્વિતીયાનો લોપ થઈને પ્રથમાંતવત્ રૂપ રહે છે. ઉ. તે કામ કરે છે. ઈત્યાદિ. માગ–વિચાર−કેહે−બોલ–ડંડ–દે–આપ. ઇત્યાદિ ધાતૂનૂં જે કર્મ તેણે કરીને યુક્ત જે શબ્દ તે કર્મ થાય. તે ઉપરથી દ્વિતીયા થાય છે. ઉ. ડાહાઓને કલ્પનાને પૂછે છે. બિજા કર્મ ઉપરથી જે દ્વિતીયા થાય તેનો લોપ પણ થાય છે. જેમ ડાહાને કલ્પના પુછે છે. છોકરાંને શ્લોક ભણાવે છે. બ્રાહ્મણનેં ગાય આપે છે. રાજાને છોકરો થયો. એ ઠેકાણે ષષ્ઠીને અર્થે દ્વિતીયા છે.”

“ગુજરાતી ભાષાનૂં વ્યાકરણ–ગંગાધર શાસ્ત્રી ફડકે કૃત. આવૃત્તિ પહેલી. ઈ. સ. ૧૮૪૦.”

૧૮૪૦
 
( ૪ )

“ઓતર દીસાએ એ ઘરનું મોઢાચાલનું બારનું છે તા. તે ઉપર એક બારી છે તા. બારણા આગળ એ ઘરનો ઓટલો છે તે ઓટલા નજીક છાપરાનાં નેવ પડે છે ને એ બારણા સામી ખુલી જમીન છે તે અમારી છે તે જમીન તમને વેચાણ આપી નથી ફક્ત આ બારણુ પડે ને તમારે જવા આવવાનો રસ્તો.”

"સંવત્ ૧૮૯૩ ઈ. સ. ૧૮૩૭ માહે મારચનું ખત.

૧૮૩૭
 
( ૫ )

“શ્રી ગણેશાઅ નમઃ | પંચોપાખઆંન પ્રારંભ |”

“સરવે શાસ્ત્રઓનો તતવ લેઈનેં વીશનુશરમા મહા પંડીત જે