પૃષ્ઠ:Sathina Sahityanu Digdarshan (Eng. Literature of sixties) by Dahyabhai Derasari.pdf/૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯
કેળવણીની શરૂવાત અને સ્થિતિ.

તેણેં પંચોપાખઆન નીતીશાસ્ત્ર કરી જગતમાં પ્રવરતાવું તેહેનો ગુજરાતી ભાશામાં આરંભ કરીએ છીએ. ”

"પેહેલાં એ ગરંથની ઉપજનું કારણ કેહે છે."

"હવે તે વનનો રાજા પીંગલ એવે નામે સીંહ એક વેળાએ પાણી પીવા શારૂ પોતાનો પરીવાર તેડી જમુનાનેં કાંઠે જાય છે. એહવામાં શંજીવક તડુકો. તે આવાજથી ડુંગર શઘલો ગાજી ઉઠો. તે ભઅંકર શબ્દ શાંભલી શીંહ કચવાઓ. અનેં થાકાનું મીશ કરી પાછો વલી એક વડ હેઠલ બેઠો મનમાં ચીંતા કરે છે. તાંહા પોતીકા પ્રધાનના પુત્ર બે શીઆલ હતા. એકનું નામ કરટક બીજો દમનક તેઓને પરધાનપણા ઉપરથી કાડા હતા તોય પણ તે પેટ સારૂ રાજાની પછવાડે ફરે.”

"જેહનો વીશવાશ નહીં તે નબલો હોઅ તોઅપણ તેથી બીએ ને જેહનો વીશવાશ છે તે માહા બલવંત છે તોયપણ તે થકી બીક નહીં.”

"ઉંટ જેને દુરજનોએ મરાવો." “કાચબો જે લાકડીથી છુટો.” "હંશનું ટોલું જે પાશામાં પડ્યું હતું,” “ગધેડો જે જીભ હલાવેથી મુવો."

"ગુજરાતી પંચોપાખ્યાન-મુંબાઇની એજ્યુકેશનલ સોસાઈટી સારૂ એ. વિઘાસ એમણે શિલા પ્રેસ માટે તૈયાર કર્યૂં–મુંબાઈ ૧૮૪૦"

૧૮૪૦
 
( ૬ )

"તેહેની કીમતના રૂ. ૭૦૧) અંકે શાતશેહેને એક પુરા રોકડા શકાઈ શહેર ચલણી લેઈને એ ઘર તમને વેચાંણ આપુ છે. તે રૂપૈઆ લીધાની વીગત પ્રથંમ એ ઘરનુ હેઠળ દલ તમને રૂ. ૨૮૫) માટે ઘરાંણે આપુ હતુ ને વાલી તાર પછી રૂ. ૩૦૧) તમારી પાસેથી વાજુકા લૈઈ તેનું ખત લખી આપુ હતુ તે તા. તેના વાજના રૂ. ૮૯) મલી જુમલે રૂ. ૩૯૦) વાલા એકુન રૂ ૬૭૫) તમારા દેવા હતા તે કાપતાં બાકી રૂ. ૨૬) હાલ અમો તમારી પાશેથી રોકડા લીધા છે."

વિ. સં. ઇ. ૧૯૦૦ ઇ. સ. ૧૮૪૪ ફેવરવાંરીનું ખત.

૧૮૪૪