પૃષ્ઠ:Sathina Sahityanu Digdarshan (Eng. Literature of sixties) by Dahyabhai Derasari.pdf/૮૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૬
સાઠીનૂં વાઙ્ગમય

( ૧ ) અભિજ્ઞાન શકુન્તલા નાટક. રા. દલપતરામ ખખ્ખર.

ઋષિo (આગળ જઈને હાથ ઉંચા કરીને આશિર્વાદ દે છે.) રાજા તારો વિજય થાઓ.

રાજાo ( હાથ જોડીને કેo ) હું સર્વને નમસ્કાર કરૂં છું.

રાજાo તમારી તપશ્ચર્યા નિર્વિઘ્ને ચાલે છે કે ?

ઋષિo તારા પ્રતાપથી નિર્વિઘ્ને જ ચાલે છે.

ગીતિ.

તૂ રક્ષક છે જ્યારે, તવ તપમાં વિઘ્ન કોણ કરનાર ?
રવિ જ્યાં સુધી પ્રકાશે, ત્યાં સુધિ તમ ક્યાં થકી પ્રસરનાર. ૧૨૯

રાજાo અલબત ચાલો ત્યારે રાજા ( રક્ષણ કરનાર ) એવું જે મારૂં નામ તેનું સાર્થક થયું. વારૂ એ તો થયું. પણ હવે તમારા ગુરૂ કણ્વ મહામુનિ લોકકલ્યાણાર્થ કુશળ તો છે કે ?

ઋષિo રાજા, તે પોતાની તપ:સિદ્ધિથી કુશળ છે. તેણે તારી ક્ષેમકુશળતાની ખબરઅંતર પૂછ્યા પછી એક સંદેશો કહેવાનું કહ્યું છે.

રાજાo તેમની શી આજ્ઞા છે ?

શાo જે કહ્યું છે તે કહું છું, સાંભળો. મારી પાછળ તમે પરસ્પર સંકેતથી મારી કન્યા સાથે લગ્ન કીધાં તે વાતને મારું અનુમત છે એટલું જ નહિ પણ તેથી હું બહુ પ્રસન્ન થયો છું. કેમકે,

કવિત છંદ.

અધિક પ્રતાપવાન સહૂ શ્રેષ્ટ સ્વામી થકી
તૂજને ગણિયે છિયે અમે નીજ મંનમાંહિ;
તેમ સહૂ સદ્‌ગુણ કેરી શકુન્તલા શૂભ,
હૂબેહૂબ પ્રતિમા પ્રગટ સ્ત્રીને રૂપે આંહી;
કંથ ને કામનિ કેરૂં જોડું તે અનૂપ જોઇ,
રીઝિયે છિયે અમે સુજશ વિધિ કેરા ગાઈ;
કજોડાંથી રિઝે છે એ દોષ હવે તેનાપર,
કોઈને મૂકવા તણી રહી ન જરૂર કાંઈ.  ૧૩૦