રાજાo ઋષિયોની તપશ્ચર્યા તો નિર્વિઘ્ને ચાલે છે કની ?
ઋo
વિઘ્ન ધર્મક્રિયાને શાં સાધુનો રક્ષિ તું છતાં ?
અંધકાર થશે ક્યાંથી તપે છે સૂર્ય તેજ જ્યાં ? ૧૯૧
રાજાo રાજાનો ધર્મ છે કે પ્રજાનું રક્ષણ કરવું અને તે કરવા માટે મને રાજા કરી કહે છે. વારૂ, હવે ભગવાન કણ્વ ઋષિ કુશળ તો છે ? એમને રૂડે જગત રૂડું.
ઋષિયોo સાધુ પુરૂષને કુશલ તથા ખુશી રહેવું પોતાને સ્વાધીન છે. એઓએ આપની ક્ષેમ કુશલતા પુછી આટલો સંદેશો કહાવ્યો છે.
રાજાo કહો, શી આજ્ઞા છે ?
શારંગરવo એ કે આપે પરસ્પર ભાવથી મારી દુહિતાની સાથે લગ્ન કીધું તે વાત જાણીને પ્રસન્ન થઈ મેં ખુશીથી અનુમત આપ્યું કેમકે,
જાણ્યો તને ઉત્તમ પૂજ્ય, પ્રાણિ,
શકુંતલા સદ્કૃતિમૂર્તિ માની !
પત્ની પતિની રચિ જોડ યોગ્ય
છુટ્યો વિધાતા જન દોષથી જ. ૧૯૨
હવે એ ગર્ભિણી છે માટે તમારે બન્નેએ સાથે રહીને ગર્ભવિધાનનો સંસ્કાર કરવો જોઈએ. તે સારૂ એનો રાજમંદિરમાં સ્વીકાર કરવો.
ગૌતમીo મહારાજ, મારે કાંઇ બોલવાની ઈચ્છા છે પરંતુ બોલવાનો અવસર નથી તેથી બોલતી નથી.
વડીલ મત આણે નહિ લીધો, તેં પણ પુછ્યું ન બંધુને !
એકમેકમાં સમજ્યાં, તો શું કરે કો'છો. હવે પરસ્પરને ? ૧૯૩
શંકુo ખરે, પ્રાણનાથ શું બોલશે, વારૂ ?