પૃષ્ઠ:Sathina Sahityanu Digdarshan (Eng. Literature of sixties) by Dahyabhai Derasari.pdf/૯૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૪
સાઠીનૂં વાઙ્ગમય.

 રાજાo વળી આ વાત ક્યાંથી કાઢી ?

શંકુo એના આવા વચનથી મને ઝાળ ઉઠે છે.

શારંગo કેમ વારૂ ? આપ તો લોકવ્યવહારથી કાંઇ અજાણ્યા નથી.

( વંશસ્થ વિલવૃત્ત. )

સતી છતાં વાસ પિહેરમાં કરી
સુવાસિની આશ્રય ભાંડુનો ધરી !
રહે, કરે તો સહુ લોક વારતા,
હશે ખરે શું વ્યભિચારિણીજ આ ? ૧૯૪
સગાં કુટુંબી સહુ એજ કારણ
ધરે હમેશાં મનમાંહ ધારણા
વળાવવાની ધણી પાસ પુત્રિને
ન હોય જો કે પ્રિય એ પિયૂ મને. ૧૯૫

રાજાo શું એની સાથે આગળ મેં લગ્ન કીધું હતું ?

શંકુo ( ખેદ પામીને મનમાં ) હે હૃદય, જેની તેં બીક મનમાં ધરી હતી તે વાત આગળની આગળ આવી ઉભી રહી.

શારંગo કરેલું કામ કબુલ કરવું ગમતું નથી માટે ધર્મને કોરે મુકીને આડે રસ્તે ચાલવું એ રાજાને ઘટિત છે ?

રાજાo આવો ખોટો તર્ક ઉઠાવી કેવો પ્રશ્ન પુછે છે ?

શારંગo જેને લક્ષ્મીનો મદ ચઢી જાય છે તે લોકોમાંજ વિશેષ કરીને આવા વિકાર જાણ્યામાં આવે છે.

રાજાo વિશેષ કરીને મારા ઉપર એ તડાકો કરતો હોય એમ લાગે છે.

ગૌતમીo બેટા, હવે જરાએ શરમ રાખીશ નહિ. આવ તારા મોહો ઉપરનો બુરખો કાઢી લેઉં કે પછી તને તારો ભર્તાર સારી પેઠે ઓળખે. ( એમ કહી તે પ્રમાણે કરે છે. )

રાજાo ( શકુંતલાને નિહાળી જોઇને મનમાં )