પૃષ્ઠ:Sathina Sahityanu Digdarshan (Eng. Literature of sixties) by Dahyabhai Derasari.pdf/૯૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૮
સાઠીનૂં વાઙ્ગમય.

ગૌતમીo ચાલ, આગળ ચાલ.( એમ કહીને આગળ જાય છે.)

શકુંo કેમ, કેમ ? આ કપટીએ તો મને છેતરી ! હવે તમે પણ મને અભાગિણીને મુકીને જશો કે ? ( એમ કહી પાછળ જાય છે )

ગૌતo ( ઉભી રહીને ) બેટા સારંગરવ, શકુન્તલા આંખમાં આંસુને રડતી આપણી પાછળ આવે છે. એના ભર્તારે એને છાંડી તો હવે આ મારી દીકરી શું કરશે ?

શારંગo ( શકુન્તલા ભણી ફરીને રોષમાં) અરે અભાગિણી, શું ધણીથી સ્વતંત્ર થવા માગે છે ? તારા મનનું ધાર્યું થશે કે ?

શારંગo શકુંતલા,
( શકુન્તલા બીકથી થરથર કંપે છે. )

( દ્રુતવિલમ્બિત વૃત્ત)

નૃપતિ જેમ વદે ત્યમ હોય તું,
કદિ ઘડીભર તો ફુલમાં તને !
તુજ પિતા નવ લેઇ શકે ફરી
કુળ તણા વ્યવહાર જ તેં તજ્યા.૨૦૭
પણ તને મન એમ જ હોય કે
પતિવૃતાવૃત્ત ભંગ કર્યું નથી,
પતિકુલે કરવો નિજ વાસ તો
ઘટિત દાસીપણું પણ વેઠતા.૨૦૮

તારે તો અહીંજ રહેવું ઘટારત છે માટે ઉભી રહે. અમે હવે સધાવિએ છિયે.

રાજાo આ ઠેકાણે મારે શું કરવું ?

( આર્યા ગીતિ વૃત્ત)

મૂઢ બન્યો હું આજે, મિથ્યા, ભાષણ કરે છ આ અથવા;
 એ વિષયે નથી નિશ્ચય, જ્યાં લગિ મનને થયો પરિપૂર્ણ.૨૧૦

ત્યાં લગી કરવું શું ? મેં પરણેલી સ્ત્રી તણો ત્યાગ કરવો ?
કે પરનારી તણો મેં સ્વીકાર કરી વટાળવો દેહ ?૨૧૧