પૃષ્ઠ:Sathina Sahityanu Digdarshan (Eng. Literature of sixties) by Dahyabhai Derasari.pdf/૯૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૯
સાહિત્ય.

પુરોહિતo ( વિચાર કરીને )જો એમ હોય તો હું કહું તેમ કરો.

રાજાo કહો, શું કરવું ?

પુરોo આ સ્ત્રીને પ્રસવ થાય ત્યાં સુધી છો એ મારે ઘેર રહે. શા માટે એમ જો પુછો તો મારે એવું કહેવાનું છે કે પૂર્વે સાધુ પુરૂષો કહી ગયા છે જે તને પેહેલ વેહેલો પુત્ર થશેતે ચક્રવર્તિ થશે. જો એ મુનિનો દોહિત્ર આ પ્રમાણે લક્ષણવાળો નિવડે તો પછી એને સત્કાર કરી અંતઃપુરમાં રાખવાનો બાધ નથી.

રાજાo જેવી તમો ગુરૂઓની ઈચ્છા.

પુરોo બેટા, મારી પાછળ ચાલ.

શકુંo શિવ, શિવ, શિવ ! ઓ પૃથ્વી, મારી મા ! અરે વસુધા ! આ સમે મને તું માર્ગ દે કે તારામાં સમાઈ જાઉં.
(એમ કહી શકુંતલા રડતી રડતી ચાલી અને પુરોહિત તથા તપસ્વિયો સાથે બહાર નીકળીને જાય છે. )

(૩) રા. ઠાકોરના ભાષાન્તરમાંથી.

ઋષિયોo ( હાથ ઉંચો કરીને ) રાજન્, વિજય પામો !

રાજાo સૌને વંદન કરૂં છું.

રાજાo મુનિયોની તપસ્ક્રિયા તો નિર્વિઘ્ન ચાલે છે ?

ઋષિo ક્રિયા વિઘ્ન ક્યમ હોય, સંત રખોપું તું કરે !
સૂરજ માથે સ્હોય, શકે તિમિર શું પ્રગટ થૈ ! ૧૪

રાજાo ત્યારે તો મ્હારૂં રાજા પદ સાર્થક.
—વારૂ, કાશ્યપ ભગવાન કુશળ તો છે ? એમની કુશળતામાં જગતનું કલ્યાણ.

ઋષિo સિદ્ધવાન યોગીઓને કુશલતા સ્વાધીન હોય છે. એમણે આપના સારા ખબર પૂછીને આપને આટલું કહાવ્યું છે.

રાજાo ( આતુરતાથી ) શી આજ્ઞા કરી છે ?

શાર્ઙ્ગરવo "આ મારી પુત્રી અને આપ સામસામાં વચન આપીનેજ પરણ્યાં છો તે ત્હમારા બેનું હું પ્રીતિથી માન્ય રાખું છું કેમકે