પૃષ્ઠ:Satyani Shodh Ma.pdf/૧૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
158
સત્યની શોધમાં
 

“હું ધર્મપાલજીને ઘેર વીણાબહેન કને ગઈ’તી. એ તમારા પર વહાલ રાખે છે ખરાં ને, તેથી જ એને કહેવા ગઈ’તી.”

“શું કહેવા ?”

“એના બાપાજીને વીનવવા કે શામળભાઈને રજા ન આપે.”

“પછી ?

“મારી વાત સાંભળીને વીણાબહેન તો રડી પડ્યાં. તમારાં તો એણે કેટલાં વખાણ કર્યાં ! એણે કહ્યું કે બાપાજી શામળભાઈને પાછા નહીં રાખે ત્યાં સુધી પોતે જંપીને બેસશે જ નહીં.”

“સાચેસાચ, તેજુબહેન ?”

“સાચે જ, ભાઈ ! પણ ત્યાં તો વીણાબહેનનાં બા આવ્યાં. એણે મને ઠપકો દીધો. મારા પર એ બહુ જ ખીજે બળ્યાં. કહે કે મારી છોકરીના કાનમાં ઝેર રેડવા શાની આવી છો ? એણે મારું કશું જ સાંભળ્યા વિના મને ઘરબહાર કાઢી મૂકી.”

તે પછી લાંબી લાંબી ચુપકીદી ચાલુ રહી. આખરે તેજુએ જ કહ્યું : “મેં એ ભૂલ જ કરી છે, ભાઈ ! હવે તો આપણે પોતાથી જ બધું કરશું.”


24
પ્રતિમાના ટુકડા

ખી રાત શામળે જાગરણ કર્યું; એક ઝોલુંય એને ન આવ્યું. ગોદડીમાં એનો તપેલો દેહ લોચ્યા કરતો હતો. એના અંતઃકરણમાં પ્રથમ તો વિશ્વબંધુ – ધર્મસમાજના ભક્તો સાથે સંગ્રામ જામ્યો. પછી એના વિચારો વિનોદિની તરફ વળ્યા.

એને – એ મારી જીવનદેવીને હું શું કહીશ ?

વિનોદિની વિશેના ચિંતને એના રુધિરના કણેકણમાં નવા દીવડા