પૃષ્ઠ:Savita-Sundari.pdf/૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫


વિષ એકવાર મસ્તકમાં ચઢ્યું તો પછી તેની ચિકિત્સા કરવી વૃથા છે. સુંદરીને કહેલાં ઉપદેશવાક્ય અસાધ્ય રોગમાં જેની ઐાષધની અસર થાય તેવાં થઇ પડ્યાં. સુંદરી તેની માતાની કહેલી સર્વ વાર્તા મન દઇને સાંભળે છે, ને તે પ્રમાણે વર્તવાને મનમાં દૃઢ પ્રતિજ્ઞા પણ કરે છે, પણ ઘડી પછી સર્વ પ્રતિજ્ઞા વૃથા થઇ જાય છે: તેનું મન તેના હાથમાં નથી. વેહતી નદીને પથાન્તર ખોદીને અનાયાસે નવીન માર્ગે લઇ જવામાં આવે તો તે બની શકે, પણ જોસબંધ વહેતા નદીના પ્રવાહને નિર્માણ કરેલા માર્ગથી પાછો કોઈપણ વાળી શકતો નથી. સુંદરીના મનને પાત્રાન્તરની વાતો કહીને વિમુગ્ધ કરી શકાય તેમ હતું, પણ ગુણવંતગૌરીએ તેમ નહીં કરતાં, તેના મનમાંથી એ વાતજ કાઢી નાંખવાનો પ્રયત્ન કીધો તેથી તે પ્રયત્ન વ્યર્થ ગયો. નદીના પ્રવાહને સુકો કરવાનો જેવો પ્રયત્ન નિષ્ફળ જાય તેમ આ વાત થઇ પડી.

ગુણવંતગૌરીએ જોયું કે તેની કન્યાના હૃદયમાંથી