આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સવીતા-સુંદરી.
પ્રકરણ ૧ લું.
આમૂખ.- સાવન સરિત ન રૂકૈ કરૈ, જે જતન કોઉ અતિ;
- કૃષ્ણ ગ્રહ્યો જિનકે મન તે, ક્યૌં રુકહિં અટલગતિ.
- [નંદદાસજીની પંચાધ્યાયી.
ષોડશ વર્ષને પહોચેલી કુલીન કુમારી સુંદરી એક દિવસે પાછલા પોહેરે પોતાના એકાંત ભુવનમાં ચિંતા કરતી ને નિશ્વાસ નાંખતી બેઠી છે.
સુંદરી એ કોણ છે ?
ખેડાના કુલિન બ્રાહ્મણ વિગ્રહાનંદની પુત્રી છે; ને તે હમણાં વડોદરામાં પોતાના માતામહને ત્યાં રહી છે.
વિગ્રહાનંદ કેવા બ્રાહ્મણ છે ?
વિગ્રહાનંદ એ કુળને ઉચું પદ આપનારા