પૃષ્ઠ:Savita-Sundari.pdf/૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.


સવીતા-સુંદરી.


પ્રકરણ ૧ લું.

આમૂખ.
સાવન સરિત ન રૂકૈ કરૈ, જે જતન કોઉ અતિ;
કૃષ્ણ ગ્રહ્યો જિનકે મન તે, ક્યૌં રુકહિં અટલગતિ.
[નંદદાસજીની પંચાધ્યાયી.

ષોડશ વર્ષને પહોચેલી કુલીન કુમારી સુંદરી એક દિવસે પાછલા પોહેરે પોતાના એકાંત ભુવનમાં ચિંતા કરતી ને નિશ્વાસ નાંખતી બેઠી છે.

સુંદરી એ કોણ છે ?

ખેડાના કુલિન બ્રાહ્મણ વિગ્રહાનંદની પુત્રી છે; ને તે હમણાં વડોદરામાં પોતાના માતામહને ત્યાં રહી છે.

વિગ્રહાનંદ કેવા બ્રાહ્મણ છે ?

વિગ્રહાનંદ એ કુળને ઉચું પદ આપનારા