પૃષ્ઠ:Savita-Sundari.pdf/૯૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૯

તેના મનમાં તો હાંસીજ છે. રાત પડતા, સર્વે જગત્ જાણે રડે છે, ને સૂર્ય ઉગતા હસે છે. એમજ જગલીલા થાય છે. સમસ્ત જગત સૂર્યના પ્રકાશથી પ્રફુલ્લીત થાય છે. કરોડ ચિંતા હો, પણ રાત પડી કે તે સર્વે નિરૂદ્વેગતાને પામે છે. જામિની પોતે તો મલિન છે, ને તેથી તે સર્વને મલિન (શાંત) કરીને પોતે પ્રફુલ્લ રહે છે, પણ અંતે તે કાળી છે !

રાત પડી એટલે તો મદિરાનંદના હૃદયમાં અપાર સંતાપ થઇ આવ્યો. રાત્રિની શ્યામતાએ હૃદયમાં તેના પૂર્ણ પ્રેમથી જાણે નિવાસ કીધો હોય તેમ તેનું મન અંધકારમય થઈ ગયું ! સંદેહ ! શંકા !! વેહમ ! મનુષ્યને, ગમે તેવો તે પ્રફુલ્લિત હૃદય ! હોય છે તો પણ ઉદાસ બનાવી દેછે. આનંદીના આનંદનો લોપ થાય છે, મૌજી મૌજ ભૂલી જાય છે. વિલાસી સૂમ બને છે. રે સંદેહ ! ઘણો નઠારો છે. સર્વ સુખનો તે નાશ કરતા છે. તેમાં દંપતિ પ્રેમમાં સંદેહ આવ્યો, થઇ ચુક્યું ! સર્વ સુખનો ક્ષણમાત્રમાં નાશ થઈ ગયો.

મધુરિમાએ રસોઇ કરીને મંદિરાનંદને ભોજન માટે