પૃષ્ઠ:Shivaji-Ni-Loont.pdf/૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
શિવાજીની સુરતની લૂટ




પ્રકરણ ૧ લું


શાહ આત્મારામ ભૂખણ તે કોણ?


વું પ્રકરણ શરુ કરીએ તે પહેલાં, હવે મોહનચંદ્રના*[૧] કુળનો ઇતિહાસ વાંચનારને જણાવવો જોઈએ. માણસની મોટાઈ કેટલેક દરજજે તેના કુળપરંપરાના ઇતિહાસ ઉપર આધાર રાખે છે. ઘણા દાખલા એવા જોવામાં આવ્યા છે કે, ઉમદા અમીરી ગુણ ધરાવનારા અને બુદ્ધિના ચળકાટવાળા વીરપુરુષો ઘણે કાળે-ત્રણસેં વર્ષે પણ એક જ કુળમાંથી ઉત્પન્ન થયા છે. મોહનચંદ્રનું કુળ આ જ પ્રમાણેનું હતું. તેઓ જગતમાં સાખ ને આંટ માટે જાણીતા થયેલા આત્મારામ ભૂખણના કુળના હતા.

સત્તરમી સદીની શરુઆતમાં, પશ્ચિમના પરાક્રમી પુરુષોએ આ દેશમાં વેપાર નિમિત્તે આવવા માંડ્યું. તેણે સુરતને પોતાનું મુખ્ય સ્થળ કરી એવી તો સારી સ્થિતિમાં આણ્યું કે, હજી સુધી તેની તરફ ઘણા વિદ્વાન ને


  1. * આ મોહનચન્દ્ર, ગ્રંથકર્તાની “ગંગા ગૂર્જર વાર્તા”નું પાત્ર છે, પ્રસ્તુત વાર્તા છુટી છપાઈ છે, એટલે અનુસંધાન જોવાની ઈચ્છા રાખનારે તેનાં પહેલાં ત્રણ પ્રકરણો વાંચી જેવા વિનંતિ છે. પ્રકટ કર્તા.