“જે હું છું તે છું જ, તેમાં લેશ માત્ર પણ ફેરફાર થવાનો નથી. મને
તું તારી બરાબરીનો નથી ગણતો પણ યાદ રાખ કે મારી સાથે તું લડવાને
લાયક જ નથી. મારી સત્તા ગ્યાસુદ્દીન રૂમી કરતાં વધારે છે.” આ પ્રમાણે
વાણી ફેરવી તે સરદાર બોલ્યો અને મરાઠાને વધારે વિસ્મય કરી નાંખ્યા.
“ત્યારે તારે શું જોઈએ છે ને શા માટે આ અમારી છાવણીમાં આવી પહોંચ્યો છે ?” તાનાજીએ મરેઠીમાં જ તે મુસલમીન સરદારને પૂછ્યું.
“તે લૂટ કરનારા શિવાજીને આ નગરની ભેટ આપવા માટે !”
રમા ગુસ્સામાં હસી પડી; પણ તે ભેદ તાનાજી અંધારાને લીધે સમજી શક્યો નહિ.
“હું ઘણી ખુશી સાથે તમને મહારાજની મુલાકાત કરાવીશ ને તમારા અપમાનના શબ્દો વિસરી જઈશ.”– આટલું બેલતાં; તાનાજી મનમાં સમજ્યો કે, આ કોઈ જેવો તેવો સરદાર નથી.
બંને જુવાનો શિવાજી, જે તંબુમાં બેઠો હતો ત્યાં જવા લાગ્યા. રસ્તામાં મુસલમાન સરદારની પદવી જાણવાની જિજ્ઞાસા થઈ, તેનો જવાબ મુસલમાન સરદારે એટલો જ દીધો કે “વખત આવશે ત્યારે મારી પદવી જણાશે. હમણાં કહેવાની જરૂર નથી.”
તંબૂમાં પ્રથમ તાનાજી દાખલ થયો.