પૃષ્ઠ:Shivaji-Ni-Loont.pdf/૧૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૧


પ્રકરણ ૧૪ મું
દ્વંદ્વયુદ્ધની માગણી

ચેરીમાં સઘળાઓ આવ્યા પછી આસપાસના બીજા સરદારો આ ચમત્કાર જોવાને દોડી આવ્યા, તેઓએ પોતપોતાની જગ્યા લીધા પછી ચેાબદાર જે નવી જ છડી લઈને ઉભેા હતે તેણે પોતાના હમેશના રીવાજ પ્રમાણે નેકી પોકારી સૌને સાવધ કીધા. સભામાં આ વખતે તદ્દન ચુપકીદી પથરાઈ ગઈ હતી, ને સૌ જાણવા આતુર થયા હતા કે આ શો રંગ છે !! લડાઇના વિચાર લડાઇને ઠેકાણે રહ્યા હતા ને હવે આ અકસ્માતમાં તેઓ કંઈ નવું જોવા-થવાની આશા રાખતા હતા. જે તે સ્થળે હોય તેના જોવામાં પ્રત્યક્ષ આવતું કે, હાલનો બનાવ કંઈ ઘણો ગંભીર વિચારશીળ છે, અને શહેરમાંથી અવરોધ માટે નહિ, પણ લડવા માટે આવતું લશ્કર જોઈ-વળી તેમાં મુસલમાન ને હિંદુ બન્ને છે એ જાણતાં મરાઠા સિપાઈયોની મુખમુદ્રા કંઈક તેજરહિત થઈ હતી ને તેઓનો શ્વાસ ઘણો ઠંડો હતો.

મુસલમાન પહેલવાને સામા આવતાં વાર ઘણી કડવી નજર શિવાજીપર ફેંકી, અને જ્યારે તે થોડો સમય ઉભો રહ્યો ને કોઈએ સન્માનાર્થ બેસવાને આસન ન દીધું, ત્યારે તે ઉગ્રતા પામી, પાસે એક ઘણી સુંદર ખુરસી પડેલી હતી તે ખેંચી લાવી મ્યાનમાંથી તરવાર કાઢી, બરાબર શિવાજીની સામો બેઠો. આથી તુરત કચેરીમાં ઘણો ગભરાટ થયો. શિવાજી પણ તેની આ નિડરતા અને ધીરતાને જોઈ આશ્ચર્ય પામ્યો. તેણે નક્કી કીધું કે, આ જેવો તેવો નર નથી, તેમ અપમાન સાંખી જાય તેવો પણ નથી.

સર્વે કચેરી શાંત હતી. કાઈનો હોઠ પણ હાલતો નહોતો. અંતે શિવાજીએ શાંતિ તોડી.

"જાદોજી, એ કોણ જવાંમર્દ આપણી કચેરીમાં આવ્યો છે?" તે બોલ્યો.