પૃષ્ઠ:Shivaji-Ni-Loont.pdf/૧૮૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭૫
કટાકટી-પરાક્રમ

છતાં તેં આજે જે સિતમ ગુજાર્યો છે, તેનો, તારો ને અમારો અલ્લાહ નેક જ છે ત્યાં જવાબ દીધા વિના છૂટકો થશે નહિ.”

“પુષ્કળ દ્રવ્યની અમને જરૂર હતી, ને આ નગરમાં પરદેશી ઈસમોના સમાગમથી દ્રવ્યની રેલછેલ થઈ રહી છે તો તેમાંથી થોડું અમે ઉપયોગ માટે માગીએ છીએ. એથી આલમગીર જાલમનો શિરચ્છેદ કરી ભરતખંડમાં એક સરસ શક પ્રવર્તાવીશું.”

“તારી પોતાની ઇચ્છા પ્રમાણેનો અધર્મ કરવો યોગ્ય છે ?” સત્તરમી સદીના રાજવીરે પૂછ્યું, “પણ જો તું સરદારની ઇચ્છા હોય તો, અને અમારાપર તમારો પૂરતા વિશ્વાસ હોય તો, જે દ્રવ્ય છે તે મૂકીને ચાલ્યા જાઓ, અમે તમને જોઈતાં સાહિત્યો પૂરાં પાડીશું. તમારી મદદમાં રહી અમારા બાહુબળથી કીર્તિ અપાવી, તમને રાજકાજમાં મદદ કરીશું. એમ નહિ બનશે તો યાદ રાખો કે, તમો સઘળાને આ અલ્લાહના કસમથી કહું છું કે, જીવતા જવા દેવાને માટે બહુ વિચાર કરીશ.”

“ચંડાળ, મ્લેચ્છ પુત્ર, ગોઝારા ! શું તું અમને ડરાવે છે ?” માલુસરે જે આટલીવાર અબોલ ઉભેા હતો, તે એકદમ ખીજવાઈને પોતાના કારસ્તાનીયા સાથી સહિત આ અમીરજાદાપર ધસ્યો, ને નવાબે સાવધ થઈ શત્રુના આગળ ધસતા બીજા સરદારને ભાલો ધેાંચી તેનું માથું ભાલાપર લઈ સૌને ભય ઉપજાવે તેમ બતાવ્યું. એ જોતાં જ બીજા મરેઠાઓ “સેતાન-પલીતને બસ મારો,” એમ બોલી ગીધ પેઠે તૂટી પડ્યા.નવાબે કશા પણ આંચકા વગર સૌને સામો જવાબ દીધો. કાપાકાપી ચાલી, ને તેટલામાં નવાબે, અવકાશ મળતાં ત્રીજો બાકી રહેલો ગોળો જમીનપર પછાડી અતિ ભય ઉપજાવ્યું.

સુરતના લશકરમાં પુષ્કળ ભય પથરાયું ને ચેતવણી મળતાં એકદમ લશ્કરે દોડ ચલાવી. મરેઠાઓમાંના કેટલાક બેઠા હતા ને કેટલાક તૈયાર હતા તે સધળાપર નગરજનનું લશ્કર ટૂટી પડ્યું ને કેર વર્તાવ્યો.