પૃષ્ઠ:Shivaji-Ni-Loont.pdf/૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૮
શિવાજીની સુરતની લૂટ

મરજી તેની હતી નહિ, “પણ નવાબ હવે તમારું સાંભળવાને તૈયાર રહેશે, તે માટે હવે મને શક રહે છે !”

“મારી મજાક ન કર,” મોતી બોલી. “હું ઘણી મૃદુ છું, છતાં મારાથી જેમ પાછું જલ્દી અવાય તેમ પેરવી કરીશ, અથવા વીતક- વાર્તા કહેવા વાસ્તે તને જ બોલાવીશ. તે નામદાર એક બહેન તરીકે તને ચાહે છે, ખાત્રી રાખ કે, તે એક ઉત્તમ પુરુષ છે, તે કદી પણ ગેરવર્તણુકે વર્તે તેવો નથી.”

“તો અતિ રૂડું !” ઘણા સંતોષથી મણિએ કહ્યું, “તું જા અને પાછી વહેલી આવીને મને મળ અને શું કર્યું તે જણાવ.”

“જનાનામાં મને ઘણો વિલંબ લાગશે નહિ;” ફરીથી મોતીએ કહ્યું, “જો મને વિલંબ લાગે તો તું ઉતાવળી થતી નહિ. અતિ ત્વરાએ હું આવીશ.” ઘણે આનંદી ચહેરે મોતી પાછું વળી જોતી જોતી ચાલી ગઈ.

એક કલાક વહી ગયો. બરાબર બારપર બે વાગ્યા. બેગમ પાછી ફરી નહિ, ત્રણ, ચાર, પાંચ, પ્રાતઃકાળ થયો ને કાગડાઓનો કાકાનો કાન ફોડતો અવાજ સંભળાવા લાગ્યો. મોતી આવી નહિ. રાહ જોઈને મણિ ઊઠી. તે નિરાશ થઈ, તેણે જાણ્યું કે મારો શ્રમ અકારથ ગયો. તુરત બારણું ઉઘડ્યું ને ખોજો આવી હાજર થયો. “મારો માફો તૈયાર છે?” મણિએ પ્રશ્ન પૂછયો.

“જનાબકા કયા હુકમ હૈ, ગુલામ વો બજાલાને મેં કુછ દેર કરનેવાલા નહિ, દેર હોવે તો શિર ગીરાદેના.”

“ તું જઈને માફો તૈયાર કરાવ, હું હેઠળ આવું છું.” “ બ્હોત અચ્છા જનાબ:” બોલી ખેાજો પાછો ફર્યો અને મણિ તેની પછાડી ક્ષણેક રહીને વિચાર કરતી ધીમે ધીમે દાદર પરથી નીચે ઉતરી પડી.