પૃષ્ઠ:Shivaji-Ni-Loont.pdf/૯૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૨
શિવાજીની સુરતની લૂટ


“છે, પણ તે અમે બે જણ શોધી કહાડીશું.”

“શાબાશ ! તમારા જેવા મહારાજના લશ્કરમાં છે, તો મહારાજનો જય છે. પણ મોટા ભયમાં જતાં બહુ સંભાળ રાખજો.”

“તમે ક્યાંથી આવ્યા ! આ શોધ માટે તમે કંઈ કરશો નહિ ? તમારો સોબતી કેમ મૌન ધરી રહ્યો છે !” બીજા ધોડેસ્વારે પૂછયું.

“એને જ માટે, અમે નદીતટપર ગયા. ત્યાં કંઈ એમ જોવામાં આવ્યું કે, કિલ્લામાંથી કોઈ બેજણ બહાર નીકળી શહેરમાં ગયા, એ બંનોની અમે પૂંઠ પકડી, પણ તે ક્યાં સંતાયા તે જણાયા નથી; તમે કોઈને જોયા ?”

"નહિ, પણ હવે અમે જઈશું ને આ રેશમની નીસરણીથી કિલ્લાપર ચડીને મહિનો ભેદ મેળવીશું, રામરામ !”

“રામરામ ! તમે તમારું કામ યથાર્થ બજાવો ને અમે પણ આમારા કામમાં પાર પડીએ, એટલે મહારાજનો જય l રામરામ !”

આટલું બોલતાં ચારે સ્વાર જુદા પડી ગયા ને બે પશ્ચિમ બાજુએ ને બે પૂર્વ બાજુએ ચર્ચા જોવાને ચાલ્યા.