પૃષ્ઠ:Shobhana.pdf/૨૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
અગ્નિશાંતિ :૨૨૯
 


‘ત્યારે આ બીજા કાગળનું શું સમજવું ?’

‘ન સમજાયું ?'

‘હું એક જ વસ્તુ સમજી, મારો તને ખપ રહ્યો નથી.'

'પણ શા કારણે તે સમજ. હું જે ઘરમાં ઊતર્યો એ થરમાં હું તને કેમ ઉતારી શકું !’

‘મારાથી ન ઊતરાય એનું કાંઈ કારણ ?'

‘પહેલાં કાગળ વખતે હું પિતાની મિલકત મારી માનતો હતો. બીજો પત્ર લખતી વખતે મારી પાસે કંઈ જ ન હતું - મારું કશું જ ન હતું.’

‘પણ પાંચ વર્ષ સુધી અબોલા ? આ કાગળ મેં એટલી વાર વાંચ્યો કે તે ફાટી ગયો.

‘તેં જવાબ કેમ ન લખ્યો ?’

‘તારા પત્રનું ઘેન ચડ્યું હતું. મને સમજ ન પડી કે હું શું લખું. પત્ર લખ્યો ત્યારે તે નાખતાં પહેલાં તારો બીજો કાગળ આવી ગયો. તે ક્ષણથી તેં મને છૂટી પાડી દીધી.'

‘અને હવે હું તને પૂર્ણ રીતે છૂટી પાડવા માગું છું.’

‘મારી આટલી બધી કાળજી લેવાનું કારણ ?’

'તને સુખી જોવા હું ઈચ્છું છું. તારા સુખની વચ્ચે આવનાર હું ખસી જાઉં તો તારે જોઈએ તે તને મળે.'

‘મારે શું જોઈએ ?’

'ભાસ્કર.'

'વારુ હું સમજી; પણ આ બધું કર્યા સિવાય ભાસ્કરને મેળવી લઉં તો?'

‘મને કશું જ નહિ લાગે. તું જાણે છે કે હું મિલકત ત્યજી બેઠો છું. અને... તું કાંઈ મારી મિલકત તો છે નહિ !’

‘પરાશર ! પણ તું જ મને ગમતો હોઉં તો ?'

‘જગતમાં કોઈની દયા ખાવાથી પ્રેમ આવતો નથી.'

'પણ પ્રેમમાંથી દયા ઊપજતી હોય તો ?'

‘ભૂલમાં ન પડીશ. મારું આકર્ષણ એ ભ્રમ છે, ભય છે, નિરાશા છે, મોતની ડૂબકી છે. રંભા એ સમજી ગઈ, અને હવે મારી સાથે - મારા પ્રેમ સાથે એ રમત કરતી નથી.’

શોભના ઊઠી પત્રો પાછા કબાટમાં મૂકી આવી. પાછી આવતાં તે