પૃષ્ઠ:Shobhana.pdf/૨૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૩૨: શોભના
 

નવો પ્રશ્ન સ્કુટ થયો.

‘શોભનાને વહેંચી શકાય ખરી ?’

‘શો વિચાર કરે છે ?’ શોભનાએ પરાશરને પૂછ્યું.

'મિલકતનો સંબંધ તોડી હું જગતભરનો બની શક્યો. તારો સંબંધ તોડી હું ક્યાં સમાઈશ એનો વિચાર કરતો હતો.'

‘સ્ત્રી વગર ચાલે એમ હોય તો પ્રશ્ન સરળ છે. શંકર, ક્રાઈસ્ટ, દયાનંદ બ્રહ્મચારી હતા.'

'મને એમ લાગે છે; સ્ત્રી વગર પુરુષને ચાલશે નહિ.’

‘બીજા પુરુષની વાત બાજુએ મૂક. તું તારો વિચાર કર ને !’

'મને પણ એમ જ લાગે છે કે સ્ત્રીનો મોહ મટ્યો નથી. મટાડવા માગું છું પણ એ બનતું નથી.’

'ભાસ્કરનો માર્ગ લે.’

‘કોઈની પણ ટીકા હું શું કરું ? ભાસ્કરની સ્થિતિમાં હું ન મુકાયો હોઉં ત્યાં સુધી એને કેમ દોષ આપી શકું?'

‘તારા ધ્યેયની સિદ્ધિમાં સ્ત્રી વિઘ્નરૂપ હોય તો એને છોડવી જ જોઈએ ને ?'

'આજ સુધી છોડી. હવે એમ લાગે છે કે સ્ત્રી અને ધ્યેયસિદ્ધિ બન્નેને ન મેળવાય ?’

'તે તારે કરવું નથી.'

'કેમ ?'

‘જો તને મિલવાળાએ મજદૂરોના અમલદાર તરીકે મૂકવા ધાર્યો, તેની તે ના પાડી. તને એક સારા પત્રના અધિપતિની જગા આપવા માંડી, તેને પણ તે નકારી. પ્રધાનમંત્રી તરીકે તું ગોઠવાઈ શક્યો હોત, પરંતુ ત્યાંયે તને ગોઠવ્યું નહિ. પછી શું થાય ?'

‘એ જગાઓ જોઈતી હોત તો હું મારી મિલકત ઉપર જઈને ન બેસત? ધન, ધન આપતો ધંધો કલુષિત છે. ધન નથી કે મોટી જગા મળી નથી. એનું મને દુ:ખ་ નથી. માનવસંબંધની વિશુદ્ધિ ચાહું છું. અને તે ધનથી વિમુખ રહીને.'

‘એ શિક્ષણ મારે લેવાનું. પરાશર ! છ માસ થોભી જા. છ માસ પછી આપણે ફરી મળીએ. તે દિવસે તને કે મને એમ લાગે કે આપણે છૂટી જઈને વધારે વિશુદ્ધિ સાધી શકીશું તો આપણે છૂટાં પડી જઈશું - કાયમનાં.’

શોભના ખુરશીએ અઢેલીને બેઠી. તેને થાક લાગ્યો હતો. પરાશર