પૃષ્ઠ:Shobhana.pdf/૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
જ્વાળામુખી:૩૯
 


આસપાસ બેઠેલા યુવકો હસ્યા. એક યુવકે કહ્યું :

'પછી હોમ હવન કરાવજે અને ગાયત્રી-પુરુશ્ચરણ કરાવજે.'

'અને છેવટે મહંત કે મહાત્મા બની બેસજે.' બીજા યુવકે વધારે મશ્કરી કરી.

'અરે એ ગાયત્રી શું છે ? ભૂતકાળની સાથે સંપૂર્ણ અણબનાવ કરવામાં જ હિંદનો ઉદ્ધાર છે એમ માનતા ત્રીજા યુવકે અણબનાવનું દર્શન કરાવ્યું.

વિજયરાય અને તેમના મિત્રોમાંથી સૂચન આવ્યું કે ગરબાને વાતચીત ગોઠતી નથી. વાતચીત કરવાના સ્વાતંત્ર્ય ઉપર આમ તરાપ મારતા ખાદીધારી વડીલો સામે બંડ ઉઠાવવાનો પોતાનો જીવનસિદ્ધ હક્ક કૉલેજ કે સભા ન હોવાથી યુવકોએ સહજ જતો કર્યો. શિસ્તભંગની શરૂઆત કરનાર આ વડીલો હવે શિસ્તનો આગ્રહ રાખતા થયા એ તેમના પ્રત્યાઘાતી માનસના પુરાવા તરીકે લેખી શકાય એમ હતું.

ગરબા પૂરા થયે લહાણી અપાઈ અને અલ્પાહાર થયો. ગરીબ વણકરો અને ખેડૂતો માટે હૃદય પિગળાવનારાં ભાષણો કરી મહાસભાના ફાળામાં નાણા આપનાર વિજયરાયે પુત્રની વર્ષગાંઠ નિમિત્ત એકાદ વણકર કે ખેડૂતને બોલાવ્યો હતો કે કેમ તેની કોઈએ પૃચ્છા કરી નહિ. કિસાનો અને મજદૂરોનું રાજ્ય લાવવા મથનાર ભાસ્કરે પોતાની જન્મતિથિએ ઘરના મજદૂરોને મધરાત સુધી રોકી રાખ્યા હતા. એમાં શોષણનીતિ છે કે કેમ એ વિષયમાં મજદૂરોએ કે ક્રાંતિકારી યુવકમંડળે ચર્ચા કરવાનો વિચાર હજી સુધી જણાવ્યો નહોતો.

ભાસ્કરે વિવેકસહ સહુને વિદાય કર્યા. પરાશર ચાલતો જતો હતો તેને રોકીને ભાસ્કરે એક કારમાં બેસાડ્યો. એ જ કારમાં રંભા, અને બે મધ્યવયી સ્ત્રીઓ સાથે તારિકા ને વિની પણ બેઠેલાં હતાં - સંકોડાઈને. ભાસ્કરે જાણી જોઈને આ ગાડી એને માટે પસંદ કરી હતી શું ?

સહુના ગયા પછી ભાસ્કરે જયાગૌરી અને શોભનાનો વિજયરાય સાથે પરિચય કરાવ્યો. શોભનાના પરિમાણ માટે પિતા પાસે બન્નેને મુબારકબાદી અપાવી, અને તેમને મૂકવા માટે તેણે પોતે જ સાથે તૈયારી કરી.

'આપ તસદી ન લેશો.' શોભનાએ કહ્યું.

'હા હા. ઘણું થાક્યા હશો.' જયાગૌરીએ કહ્યું.

'આજ તો હું આવીશ જ.' - કહી ભાસ્કરે જયાગૌરીને પહેલાં