પૃષ્ઠ:Siddharaj Jaysinha.pdf/૧૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

આજ સુધી ભારતભરમાં ઘણાં મોટાં-મોટાં વ્યાકરણો હતાં, પણ એ વિદ્યાર્થીઓને અભ્યાસમાં ખૂબ મુશ્કેલ પડતાં.

સિદ્ધહેમ સુબોધ વ્યાકરણ તરીકે ખ્યાતિ પામ્યું.

સિદ્ધહેમ વ્યાકરણે આજ સુધી કોઈ ગ્રંથે ન કર્યું હોય તેવું કામ કર્યું. સંસ્કૃત, પ્રાકૃત, માગધી વગેરે ભાષાઓનું વ્યાકરણ આપ્યું. પણ સાથે-સાથે અપભ્રંશ પ્રાચીન ગુજરાતી ભાષાનું પણ વ્યાકરણ આપ્યું.

આજની ગુજરાતી *[૧] ભાષાના વ્યાકરણના આ બે આદિ જનકો !'

આ પછી તો ગુજરાતની સરસ્વતી ભરપટ્ટે વહેવા લાગી. રાજાએ જ્ઞાનભંડારો કરી એ સરસ્વતીને લોકકાજે સંઘરવા માંડી.

પ્રજાએ પણ નિજભંડારો રચી જ્ઞાનપૂજાને નામે એ કૃતિઓને સાચવવા માંડી.

આચાર્યશ્રી આ પછી નવી રચનાઓમાં મગ્ન થઈ ગયા. એમણે 'અભિધાનચિંતામણિ' નામનો એક શબ્દોષ રચ્યો

કાવ્યશાસ્ત્રના અભ્યાસ માટે 'કાવ્યાનુશાસન' રચ્યું.

છંદોના અભ્યાસ માટે 'છંદોનુશાસન' રચ્યું.

એકલું વ્યાકરણ ભણવું રસિક ગુજરાતીઓને આકરું લાગતું. આચાર્યશ્રીએ ‘દ્વયાશ્રય મહાકાવ્ય' રચ્યું. વ્યાકરણનાં ઉઘહરણો સાથે ચાવડા અને સોલંકી વંશનો કાવ્યમય ઇતિહાસ એમાં વણી લીધો ! ભણનારને જ્ઞાન સાથે ગમ્મત મળે !

જ્ઞાનની ગંગા ગુજરાતમાં આ રીતે વહી.

રાજા અને આચાર્ય વચ્ચે પ્રતિદિન ધર્મગોષ્ઠિ અને જ્ઞાનગોષ્ઠિ થવા લાગી. પછી પ્રજા પણ કેમ બાકી રહે ? સમસ્યા, હેલિકા, પ્રહેલિકા, અંતકડી,


  1. *ગુજરાતી ભાષાના ત્રણ અવતારો થયા છે. ઈસ્વીસનના ૧૦ મા ૧૧ મા શતકથી ચૌદમા શતક સુધી અપભ્રંશ કે પ્રાચીન ગુજરાતી.
    ૧૫ મા શતકથી ૧૭મા શતક સુધી બીજો યુગ-જૂની ગુજરાતી અથવા મધ્યકાલીન ગુજરાતી.
    ૧૭મા પછીથી આજ સુધી ત્રીજો યુગ અર્વાચીન ગુજરાતી.
૧૧૦ ᠅ સિદ્ધરાજ જયસિંહ